Western Times News

Gujarati News

ઈન્ડિયન એરફોર્સના કાફલામાં પર્યાપ્ત ફાઈટર જેટ્‌સ નથી

File

સરકાર સમક્ષ નવા રાફેલ માટે મૂકી માગ

(એજન્સી)નવી દિલ્હી, ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાએ ભારતીય વાયુસેનાની તાકાત જોઈ. ભારતીય વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાનના ચીની વિમાનોના હોશ ઉડાવી દીધા. જો કે, આંતરરાષ્ટ્રીય પડકારોને ધ્યાનમાં રાખતાં ભારતીય વાયુસેના પાસે હાલમાં પર્યાપ્ત ફાઇટર જેટ્‌સ નથી. આવી સ્થિતિમાં, વાયુસેનાએ સરકાર પાસેથી નવા રાફેલ વિમાનોની માંગણી કરી છે. ભારતીય વાયુસેના ઇચ્છે છે કે લાંબા સમયથી પડતર ૧૧૪ મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટ પ્રોજેક્ટ હેઠળ નવા રાફેલ વિમાનો ઉપલબ્ધ કરાવવામાં આવે.

ભારતીય વાયુસેનાનું કહેવું છે કે, ફ્રાન્સની સરકાર સાથે પડતર પ્રોજેક્ટ હેઠળ નવા ફાઈટર જેટની ખરીદી કરો અથવા ઉત્પાદન કરો, જેથી વાયુસેનાની તાકાતમાં વધારો થઈ શકે. આ પ્રોજેક્ટ હેઠળ મોટાભાગના વિમાન વિદેશી સહયોગ સાથે દેશમાં જ ઉત્પાદિત કરવામાં આવે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય વાયુસેના હવે પોતાના બેડામાં દેશી રાફેલ વિમાન ઈચ્છે છે.

આ પ્રોજેક્ટને આગળ વધારવાનો પ્રથમ તબક્કો એસેપ્ટન્સ ઓફ નેસેસિટી છે. અહેવાલો અનુસાર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એÂક્વઝિશન કાઉન્સિલ એક કે બે મહિનામાં તેને મંજૂરી આપી શકે છે.

વાયુસેનાનું કહેવું છે કે શક્્ય તેટલી વહેલી તકે નવા ફાઇટર એરક્રાફ્ટનો સમાવેશ કાફલામાં કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, ૭ થી ૧૦ મે દરમિયાન ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય વાયુસેનાએ રાફેલનો ઉપયોગ સરહદ પાર આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે કર્યો હતો.

પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ભારતીય વાયુસેનાના ૬ ફાઇટર પ્લેનને તોડી પાડ્યા છે. જોકે, ભારતે પાકિસ્તાનના આ પાયાવિહોણા દાવાઓને ફગાવી દીધા છે. તમને જણાવી દઈએ કે સ્ઇહ્લછ પ્રોજેક્ટ છેલ્લા સાતથી આઠ વર્ષથી પડતર છે.

બીજી તરફ ભારતીય વાયુસેનામાં વિમાનોની અછત છે. વિમાન આવતા મહિને નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, વાયુસેનામાં વિમાનોની સંખ્યામાં વધુ ઘટાડો થશે. ભારતીય વાયુસેનાએ ૫ંર જનરેશનના વિમાનની પણ માંગ કરી છે.

ભારતીય વાયુસેનાનું કહેવું છે કે હવે ૫ંર જનરેશનના ફાઇટર એરક્રાફ્ટની જરૂર છે. તેમાં રશિયાના સુખોઈ-૫૭ અને અમેરિકાના હ્લ-૩૫ વિમાનનો સમાવેશ થાય છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ ચર્ચા શરૂ થઈ નથી.

ભારતીય વાયુસેનાનું કહેવું છે કે જો રાફેલ ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ ડીલ મારફત ખરીદવામાં આવે તો તે વધુ ફાયદાકારક રહેશે. ૨૦૧૬માં, ભારતે ૫૯૦૦૦ કરોડ રૂપિયાના રાફેલ વિમાન માટે સોદો કર્યો હતો. ત્યારબાદ વાયુસેનાના કાફલામાં ૩૬ રાફેલ વિમાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે. તેમંય ખાસ કરીને ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે ત્યારે યુદ્ધમાં હવે એરફોર્સ ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવે છ. તેમાંય ખાસ કરીને અત્યંત આધુનિક ફાઈટર જેટ કિંગ મેગર સાબિત થતાં હોય છે. આ પરિસ્થિતિમાં ઈન્ડિયન એરફોર્સે પર્યાપ્ત ફાઈટર જેટ્‌સ નહીં હોવાનું જણાવતાં સુરક્ષા મંત્રાલય એલર્ટ થઈ ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.