Western Times News

Gujarati News

વનતારાએ વન વિભાગ સાથે મળીને 33 ચિત્તલ (હરણ)ને બરડા અભયારણ્યમાં મુક્ત કર્યા

પોરબંદર જિલ્લામાં 192.31 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું બરડા વન્યજીવ અભયારણ્યમાં વાઈલ્ડલાઈફ વિવિધતા સમૃદ્ધ બનાવવા વનતારા અને ગુજરાત વન વિભાગે હાથ મિલાવ્યા

બરડા અભયારણ્યમાં ચિત્તાઝરખવરુશિયાળ અને જંગલી ડુક્કર જેવા શિકારી પ્રાણીઓ ઉપરાંત રોઝ (નીલગાય) જેવા શાકાહારી પ્રાણીઓની પણ ઘણી વસતિ છે.

પોરબંદર (ગુજરાત), બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટેગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજીકલરેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વાનતારા સાથે મળીને 33 ચિત્તલ (હરણ)ને નિયુક્ત સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કર્યા છે.

આ હરણને જામનગરમાં વાનતારાની એક્સ-સીટુ કન્ઝર્વેશન સુવિધામાંથી ખાસ તૈયાર કરેલી એમ્બ્યુલન્સમાં બરડા વન્યજીવ અભયારણ્યમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદઇકોલોજીકલ યોગ્યતા અને સહાયક પ્રણાલીઓની તૈયારીની ખાતરી કર્યા પછીવન વિભાગની દેખરેખ હેઠળ હરણોને છોડવામાં આવ્યા હતા. વાનતારાએ સ્થાપિત સંરક્ષણ પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવા માટે ટેકનિકલ અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો.

VANTARA AND GUJARAT FOREST DEPARTMENT

ગ્રીન્સ ઝૂઓલોજિકલરેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરના ડિરેક્ટર ડૉ. બ્રિજ કિશોર ગુપ્તાએ જણાવ્યું: “આ પહેલ બરડા વન્યજીવ અભયારણ્યની જૈવવિવિધતાને પુનઃસ્થાપિત અને સમૃદ્ધ કરવા માટે એક મુખ્ય પગલું છે. ભૂતકાળમાં પણ આ ચિત્તલ અહીં વસવાટ કરતા હતાઅને તેમનો ફરીથી પ્રવેશ વૈજ્ઞાનિક રીતે મહત્વપૂર્ણ છે અને તે વસવાટના પુનરુત્થાન માટે પણ એક સંકેત છે.

 

View this post on Instagram

 

A post shared by Western Times (@westerntimesguj)

ઇકોલોજીકલ મૂલ્યાંકનોપ્રજાતિ પુનઃપ્રાપ્તિ આયોજન અને આંતર-એજન્સી સહયોગ પર આધારિત ગુજરાત વન વિભાગનો સક્રિય અભિગમ સમગ્ર રાજ્યમાં સંરક્ષણ માળખાને મજબૂત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રયાસો જાહેર સંસ્થાઓ અને વાનતારા જેવી સંસ્થાઓ વચ્ચેની ભાગીદારીની પરિવર્તનશીલ સંભાવનાને પણ દર્શાવે છેજ્યાં નિપુણતા અને સંસાધનોની સહભાગીતા નોંધપાત્ર સંરક્ષણ પરિણામો આપી શકે છે અને ભારતમાં વન્યજીવન વ્યવસ્થાપન માટે નવા માપદંડો સ્થાપિત કરી શકે છે.”

પોરબંદર જિલ્લામાં 192.31 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું બરડા વન્યજીવ અભયારણ્ય જૈવિક રીતે સમૃદ્ધ આશ્રયસ્થાન છે. વિવિધ વનસ્પતિ સંગ્રહ માટે જાણીતું અભયારણ્ય વિવિધ વન્યજીવોના વસવાટ સ્થાપવામાં સહાયક બન્યું છેજે વન્યજીવનની વિશાળ શ્રેણીને ટકાવી રાખે છે.

રાજ્ય સરકારના ડેટા અનુસારબરડામાં ચિત્તાઝરખવરુશિયાળ અને જંગલી ડુક્કર જેવા શિકારી પ્રાણીઓ ઉપરાંત રોઝ (નીલગાય) જેવા શાકાહારી પ્રાણીઓની પણ ઘણી વસતિ છે. આ અભયારણ્યમાં સ્પોટેડ ઇગલ અને ક્રેસ્ટેડ હોક-ઇગલ સહિત અનેક દુર્લભ અને લુપ્તપ્રાય પક્ષીઓની પ્રજાતિઓ પણ રહે છેજે તેને શિકારી અને અન્ય જંગલ-આશ્રિત પક્ષીઓ માટે એક મહત્વપૂર્ણ આશ્રય બનાવે છે.

ઐતિહાસિક રીતેબરડામાં સાંભરચિત્તલ અને ચિંકારાની વસતિ ખૂબ હતીજે સમય જતાં રહેઠાણના વિભાજન અને અન્ય ઇકોલોજીકલ દબાણને કારણે ઘટી ગઈ છે. અભયારણ્યના અખંડ નિવાસસ્થાન અને ઇકોલોજીકલ ક્ષમતાને ઓળખીનેવન વિભાગે આ મૂળ શાકાહારી પ્રાણીઓને ફરીથી રજૂ કરવાના પ્રયાસો શરૂ કર્યા છેજેનો હેતુ ટ્રોફિક સંતુલન પુનઃસ્થાપિત કરવાનો અને કાર્યાત્મક સંરક્ષણ લેન્ડસ્કેપ તરીકે અભયારણ્યની ભૂમિકાને મજબૂત કરવાનો છે.

બરડામાં આ પહેલ સરકારની આગેવાની હેઠળના સંરક્ષણ પ્રયાસોની નિરંતરતા દર્શાવે છેજેમાં વાનતારા વૈજ્ઞાનિક નિપુણતાપશુચિકિત્સા સંભાળ અને તકનીકી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું યોગદાન આપીને એક પ્રતિબદ્ધ ભાગીદાર તરીકે સેવા આપી રહ્યું છે. સાથે મળીનેઆ સહયોગી પ્રયાસો ઇકોસિસ્ટમને મજબૂત કરી રહ્યા છે અને ભારતની સમૃદ્ધ જૈવવિવિધતાનું રક્ષણ કરી રહ્યા છેએટલું જ નહીં પરંતુ દેશભરમાં ભવિષ્યના સંરક્ષણ પહેલ માટે એક મોડેલ પણ સ્થાપી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.