મૈને પ્યાર કિયા’ દરમિયાન, ભાગ્યશ્રી સલમાનને ચાલબાઝ ગણી બેઠી

મુંબઈ, ‘મૈને પ્યાર કિયા’ રિલીઝ થયાને ૩૫ વર્ષ થઈ ગયા છે, પરંતુ આ બ્લોકબસ્ટર ફિલ્મની યાદો હજુ પણ તાજી છે. ૧૯૮૯ની આ હિટ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ભાગ્યશ્રીને ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાન સાથે બનેલી એક ઘટનાથી ખાતરી થઈ ગઈ કે સલમાન તેની સાથે ફ્લર્ટ કરી રહ્યો છે પરંતુ સત્ય કંઈક બીજું હતું.ભાગ્યશ્રીએ તેની પહેલી ફિલ્મઅને ઉટીમાં ‘દિલ દીવાના’ ગીતના શૂટિંગનો એક કિસ્સો શેર કર્યાે.
ઘરેથી દૂર અને તેના બોયળેન્ડ હિમાલય દાસાનીને યાદ કરતી અભિનેત્રીએ ખુલાસો કર્યાે કે તે આઉટડોર શેડ્યૂલ દરમિયાન હતાશ અનુભવતી હતી.તેણીએ ખુલાસો કર્યાે કે સલમાનનું વર્તન અચાનક તેની આસપાસ બદલાઈ ગયું હતું.
ભાગ્યશ્રીએ યાદ કર્યું, ‘તે મારી પાછળ આવતો હતો અને ગીતો ગાતો રહેતો હતો, અને હું વિચારતી હતી, ‘અહીં શું ચાલી રહ્યું છે?તે સમયે ભાગ્યશ્રીને લાગ્યું કે સલમાને હદ પાર કરી દીધી છે. પરંતુ એક દિવસ, સલમાને તેને બાજુ પર બોલાવીને આશ્ચર્યચકિત કરી દીધી. તેણે કહ્યું- મને ખબર છે! જ્યારે તેણીએ પૂછ્યું કે તેનો અર્થ શું છે, ત્યારે સલમાને જવાબ આપ્યો, ‘મને ખબર છે કે તું કોને પ્રેમ કરે છે.
તું હિમાલયને અહીં કેમ નથી બોલાવતી ?’ અભિનેત્રીએ ખુલાસો કર્યાે કે તે જાણીને ચોંકી ગઈ હતી કે સલમાન ફક્ત તેનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરી રહ્યો હતો કારણ કે તે તેમના સંબંધો વિશે જાણતો હતો.તે ઘટનાએ મજબૂત મિત્રતાની શરૂઆત કરી.
સલમાન ખાન તેના સૌથી નજીકના લોકોમાંનો એક બની ગયો, હિમાલય દાસાની સાથેના લગ્ન દરમિયાન પણ, જ્યારે તેનો પરિવાર હાજર નહોતો, ત્યારે સલમાન તેની સાથે ઊભો રહ્યો. તેણીએ કહ્યું, ‘જ્યારે અમારા લગ્ન થયા, ત્યારે સલમાન અને સૂરજજી મારી સાથે હતા કારણ કે મારો પરિવાર મારા લગ્નમાં હાજર નહોતો.ત્રણ દાયકાથી વધુ સમય પછી, ભાગ્યશ્રીને હજુ પણ તેના ડેબ્યૂ કો-સ્ટાર તરફથી મળેલા વિશ્વાસ, પ્રેમ અને સમર્થનને યાદ છે – એક એવું બંધન જે ‘મૈંને પ્યાર કિયા’માં તેમના ઓન-સ્ક્રીન રોમાંસ કરતાં વધુ સમય સુધી ચાલ્યું. ભાગ્યશ્રીએ ૧૯૮૯ માં સલમાન ખાન સામે ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મથી યાદગાર ડેબ્યૂ કર્યું, જે બ્લોકબસ્ટર સાબિત થયું અને તેને તરત જ ઘર-ઘરમાં જાણીતી બનાવી દીધી. તેણીની ડેબ્યૂ ફિલ્મની અપાર સફળતા છતાં, તેણીએ તેના અંગત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લાઈમલાઈટથી દૂર રહેવાનું નક્કી કર્યું.SS1MS