કેનેડામાં ખાલિસ્તાનીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર કબજો કરવાની ધમકી ઉચ્ચારી

નવી દિલ્હી, કેનેડામાં ભારત વિરુદ્ધ ખાલિસ્તાન સમર્થકોનો વિરોધ ફરી એકવાર ભડકી ઉઠ્યો છે. અહેવાલ છે કે એસએફજે એટલે કે શીખ્સ ફોર જસ્ટિસે વાનકુવરમાં ભારતીય કોન્સ્યુલેટ પર કબજો કરવાની ધમકી આપી છે.
એટલું જ નહીં, ભારતીયોને તે વિસ્તારમાં ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જોકે, ભારત કે કેનેડિયન સરકાર દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
મીડિયા રિપોટ્ર્સ અનુસાર, ખાલિસ્તાની જૂથે ગુરુવારે કોન્સ્યુલેટની મુલાકાત લેવાનું આયોજન કરી રહેલા લોકોને અલગ તારીખ પસંદ કરવા કહ્યું છે. એસએફજે દ્વારા એક પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કેનેડામાં નવા ભારતીય હાઈ કમિશનર દિનેશ પટનાયકનો ફોટો છે. તેમના ચહેરા પર નિશાન બનાવવાના ચિહ્નો છે.
આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ભારતીય કોન્સ્યુલેટ દ્વારા જાસૂસી નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે.ખાલિસ્તાની જૂથનો આરોપ છે કે કોન્સ્યુલેટ દ્વારા ખાલિસ્તાનીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘બે વર્ષ પહેલા ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ, વડા પ્રધાન જસ્ટિન ટ્›ડોએ સંસદમાં કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે.’
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘બે વર્ષ થઈ ગયા છે અને ભારતીય કોન્સ્યુલેટ ખાલિસ્તાની જનમતના પ્રચારકોને નિશાન બનાવીને જાસૂસી નેટવર્ક ચલાવી રહ્યું છે.’ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓછામાં ઓછા બે ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથોને કેનેડાની અંદરથી નાણાકીય સહાય મળી છે.
‘૨૦૨૫ એસેસમેન્ટ ઓફ મની લોન્ડરિંગ એન્ડ ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ રિસ્ક ઇન કેનેડા’ શીર્ષક હેઠળના અહેવાલમાં કેનેડાની અંદરથી નાણાકીય સહાય મેળવતા ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથોને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન તરીકે ઓળખવામાં આવ્યા છે.SS1MS