Western Times News

Gujarati News

આમિર ખાને હિરાનીની ફિલ્મ માટે ફરી સ્ક્રીપ્ટ લખવા કહ્યું

મુંબઈ, આમિર ખાન અને રાજકુમાર હિરાનીએ જ્યારે તેઓ દાદા સાહેબ ફાળકે પર ફિલ્મ બનાવતા હોવાની જાહેરાત કરી ત્યારે તેઓ સમાચારોમાં છવાઈ ગયા હતા. ‘૩ ઇડિયટ્‌સ’ અને ‘પીકે’ જેવી જાણીતી ફિલ્મો આપી ચૂકેલી જોડી એક અન્ય હસ્તી પર ફિલ્મ બનાવતી હોવાથી ઘણા લોકો ઉત્સાહમાં આવી ગયા હતા.

પરંતુ હવે એવા અહેવાલો છે કે દાદા સાહેબ ફાળકે પરની આ બાયોપિક હમણા પડતી મુકાઈ છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “રાજકુમાર હિરાની અને અભિજાત જોશી પાસેથી આમિરે દાદા સાહેબ ફાળકેની સ્ક્રિપ્ટ સાંભળી હતી.

તેને લાગ્યું કે ફિલ્મમાં થિએટરમાં રિલીઝ કરવા માટેના તત્વો પુરતા પ્રમાણમાં નથી. તેની અપેક્ષા એવી હતી કે રાજુ અને અભિજાત તેમની દરેક ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ લાગણી અને ડ્રામાને લાફ્ટર સાથે મિક્સ કરીને રજૂ કરશે. પરંતુ આમિરને ફિલ્મમાં કોમેડીની ખામી લાગી.

તેનાથી આમિરના મનમાં પ્રશ્ન ખડા થયા છે. તેથી તેણે રાજુને ફરી સ્ક્રિપ્ટ લખવા કહ્યું છે.”સુત્રએ આગળ જણાવ્યું કે, “રાજુ અને અભિજાત જોશી આમિર ખાનના આ પ્રતિસાદથી આંચકો લાગી ગયો છે. હવે તેઓ આગળ શું કરવું તે અંગે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેમની ઇચ્છા તો ઓક્ટોબરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવાની હતી. હવે તેઓ આવતા મહિને શૂટ શરૂ કરવાની સ્થિતિમાં નથી.

હાલ બધું કામ અટકી પડ્યું છે અને આમિરે વધુ સ્ક્રિપ્ટ શોધવાની શરૂ કરી દીધી છે. તે ઇન્સ્ટ્રીમાં બધા પાસેથી સ્ક્રિપ્ટ સાંભળી રહ્યો છે.” હાલ તેની રાજકુમાર હિરાની અને લોકેશ કનગરાજ બંને સાથેની ફિલ્મ પડતી મુકાઈ ગઈ છે, તેથી તેણે નવું કામ શોધવાનું શરૂ કરી દીધું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.