Western Times News

Gujarati News

“એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ

Ahmedabad, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી “સ્વચ્છ ઉત્સવ” થીમ હેઠળ સ્વચ્છતા હી સેવા પખવાડિયું-2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં 25 સપ્ટેમ્બર 2025ના રોજ મંડળમાં “એક દિવસએક કલાકએક સાથે” શ્રમદાન કાર્યક્રમ ઉત્સાહપૂર્વક યોજાયો.

અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના નેતૃત્વમાં તમામ બ્રાન્ચ રેલ અધિકારીઓઅને કર્મચારીઓએ “એક દિવસએક કલાકએક સાથે” સંકલ્પ અંતર્ગત શ્રમદાન કરીને સ્ટેશન પરિસરની વ્યાપક સફાઈ કરી અને સમગ્ર પરિસરને સ્વચ્છ બનાવ્યો. સૌએ સંકલ્પપૂર્વક એક દિવસએક કલાકનું સામૂહિક શ્રમદાન કરીને સ્ટેશન પરિસરની વ્યાપક સફાઈ કરી અને પરિસરને સ્વચ્છ તેમજ સુંદર બનાવવામાં  પોતાનું યોગદાન  આપ્યું

શ્રમદાન બાદ મંડળ રેલ પ્રબંધક  દ્વારા સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન તેમણે સ્ટેશન પરિસરની સ્વચ્છતા વ્યવસ્થાશૌચાલયોની કાર્યક્ષમતાપીવાના પાણીની ઉપલબ્ધતાપ્રતિક્ષાલયોની  હાલતપ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેનોની સ્વચ્છતારનિંગ રૂમ સહિત મુસાફરોની સુવિધાઓનો અભ્યાસ કર્યો.

અમદાવાદ સ્ટેશન ની સાથે-સાથે નવી અને જૂની રેલવે કોલોની સાબરમતીવટવા રેલવે કોલોનીમહેસાણા રેલવે કોલોની તેમજ મંડળ રેલવે હોસ્પિટલસાબરમતીમાં પણ શ્રમદાન કરવામાં આવ્યું. આ સ્થળોએ રેલકર્મીઓ અને પરિવારજનો એ મળીને સફાઈ કરી અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.

સ્વછતા હી સેવા પખવાડિયા” અંતર્ગત આયોજિત આ અભિયાન માત્ર સ્ટેશન અને કોલોનીઓની સફાઈ સુધી સીમિત ન રહીપરંતુ તેમાં સૌને સ્વચ્છતાનું મહત્વ સમજાવતા સામૂહિક જવાબદારીની ભાવનાને પણ પ્રોત્સાહિત કરવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.