૩૦ સપ્ટેમ્બરથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા A સામેની 3 મેચની ODI સિરીઝ માટે ટીમની જાહેરાત

ઓસ્ટ્રેલિયા એ સામેની સિરીઝ માટે ટીમની જાહેરાત કરાઈ
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ બોર્ડે ૩૦ સપ્ટેમ્બરથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા એ સામેની ત્રણ મેચની ઓડીઆઈ સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા એ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે, લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બે મેચની બિનસત્તાવાર ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમી રહી છે.
ત્યારબાદ તેઓ ભારત એ ટીમ સામે ત્રણ મેચની ઓડીઆઈ સિરીઝ રમશે, જે બધી જ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમાશે. અભિષેક શર્મા, તિલક વર્મા અને અર્શદીપ સિંહને ઓસ્ટ્રેલિયા એ સામેની ત્રણ મેચની ઓડીઆઈ સિરીઝની પ્રથમ મેચમાં સામેલ કરવામાં આવ્યા નથી, કારણ કે તેઓ એશિયા કપમાં ભાગ લેવાને કારણે મુખ્ય ભારતીય ટીમમાં છે, જે પાછળથી જોડાશે.
ભારત એ ટીમની વાત કરીએ તો, રિયાન પરાગ, આયુષ બદોની, રવિ બિશ્નોઈ અને અભિષેક પોરેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા છ સામેની આ સિરીઝની પહેલી મેચ ૩૦ સપ્ટેમ્બરે રમાશે, જ્યારે બીજી અને ત્રીજી મેચ ૩ અને ૫ ઓક્ટોબરે રમાશે. ત્રણેય મેચ બપોરે ૧ઃ૩૦ વાગ્યે શરૂ થશે. શ્રેયસ ઐયરની વાત કરીએ તો, તે ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયા છ સામેની આ ઓડીઆઈ સિરીઝ તેના માટે મહત્વપૂર્ણ રહેશે.
૦ ઓસ્ટ્રેલિયા એ સામેની પહેલી ઓડીઆઈ માટે ભારતીય એ ટીમ ઃ શ્રેયસ ઐયર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), રિયાન પરાગ, આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, વિપ્રજ નિગમ, નિશાંત સિંધુ, ગુર્જપનીત સિંહ, યુદ્ધવીર સિંહ, રવિ બિશ્નોઈ, અભિષેક પોરેલ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, સિમરજીત સિંહ.
ઓસ્ટ્રેલિયા એ સામેની બીજી અને ત્રીજી વન-ડે માટે ભારત એ ટીમ ઃ શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), રિયાન પરાગ, આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, વિપ્રરાજ નિગમ, નિશાંત સિંધુ, ગુર્જપનીત સિંહ, યુધવીર સિંહ, રવિ બિશ્નોઈ, અભિષેક પોરેલ (વિકેટકીપર), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ.