Western Times News

Gujarati News

નવરાત્રિની અષ્ટમીએ ભદ્રકાળી માતા મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

(અમદાવાદ) નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આસો સુદ આઠમ (અષ્ટમી) ના શુભ દિવસે અમદાવાદના પ્રસિદ્ધ માતૃ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શક્તિની ઉપાસનાના આ દિવસે મા ભદ્રકાળીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા.

ભદ્રકાળી માતાના મંદિરમાં અષ્ટમીની વિશેષ પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી, અને સમગ્ર વાતાવરણ જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

સમગ્ર અમદાવાદમાં નવરાત્રિની આઠમનો ઉત્સાહ ચરમસીમાએ હતો, જ્યાં મંદિરોમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો હતો.

આ ઉપરાંત, મેમનગરમાં આવેલા માનવ મંદિર (ઉપરની તસવીરઃ ખાતે પણ અષ્ટમીના કારણે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આ દિવસે અનેક શ્રદ્ધાળુઓએ માતાજીને ચુંદડી અર્પણ કરી અને ઉપવાસ તથા આરાધના કરીને પૂજા-અર્ચના કરી હતી. ટ્રાફિક અને ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ અને સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.