Western Times News

Gujarati News

લોકોને બળજબરીથી રાષ્ટ્રગીત માટે ઊભા કરવામાં આવે છેઃ મહેબૂબા

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રાષ્ટ્રગીત દરમિયાન ઊભા નહીં થવાના મામલામાં પોલીસે ૧૫ યુવકોની અટકાયત કરી છે. આ ઘટનાને પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મેહબૂબા મુફ્તીએ વખોડી કાઢી છે. આ સાથે મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, કાશ્મીરમાં લોકોને બળજબરીથી, અહીં સુધી કે બંદૂકની અણીએ રાષ્ટ્રગીત માટે ઊભા કરવામાં આવી રહ્યા છે.

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના વડા મુફ્તીએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભાજપે પરિસ્થિતિ જ એવી પેદા કરી છે કે લોકોને રાષ્ટ્રગીત માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. જ્યારે હું સ્ટુડન્ટ હતી તો અમે ઈચ્છાથી રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા થતા હતા.

પરંતુ હવે આ માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, આ સરકારની નિષ્ફળતા છે. હકીકતમાં, ૩૦મી સપ્ટેમ્બરની સાંજે શ્રીનગરના ટીઆરસી ફૂટબોલ મેદાનમાં રાષ્ટ્રગાન થયું હતું.આ દરમિયાન ત્યાં ઉપસ્થિત ૧૫ યુવકો ઊભા થયા નહીં. પોલીસે તમામ ૧૫ યુવકોની અટકાયત કરી છે.

પોલીસની આ જમીન પર શહીદ સ્મારક બનાવવાની યોજના છે, જેનાથી સ્થાનિક લોકો અને યુવાનોએ રમતગમત માટેનું મેદાન ગુમાવવું પડી શકે છે. અમારા રમતના મેદાનો છીનવવામાં આવી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.