૨૦ બાળકોના મોતના જવાબદાર શ્રીસન મેડિકલ્સના માલિકની ધરપકડ

ચેન્નાઈ, મધ્યપ્રદેશ પોલીસે જીવલેણ કોલ્ડ્રિફ કફ સિરપ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે કાર્યવાહી કરી છે અને શ્રીસન મેડિકલ્સના માલિક રંગનાથનની અટકાયત કરી છે. આ કાર્યવાહી મધ્યપ્રદેશમાં દૂષિત કોલ્ડ્રિફ કફ સિરપ પીવાથી ૨૦ બાળકોના મોત થયાની ભયાનક ઘટના બાદ કરવામાં આવી છે.
કસ્ટડીમાં લીધા બાદ, રંગનાથનની સમગ્ર કેસ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા, આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને, પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં મદદ કરનાર કોઈપણને રૂા.૨૦,૦૦૦નું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી હતી.
વધુમાં, કંપનીના ફરાર માલિકોની ઝડપી ધરપકડ સુનિヘતિ કરવા માટે એક ખાસ SIT ટીમની રચના કરવામાં આવી હતી, જેના પરિણામે રંગનાથનની અટકાયત કરવામાં આવી હતી.
મધ્યપ્રદેશના આરોગ્ય રાજ્યમંત્રી નરેન્દ્ર શિવાજી પટેલે બુધવારે જણાવ્યું હતું કે દૂષિત કફ સિરપ ખાવાથી રાજ્યમાં ૨૦ બાળકોના મૃત્યુ થયા છે અને આ ગંભીર બેદરકારી માટે તમિલનાડુ સરકાર જવાબદાર છે. પટેલે કહ્યું, રાજ્યમાંથી નિકાસ થતી દવાઓનું નિરીક્ષણ કરવાની જવાબદારી તમિલનાડુ સરકારની હતી. મધ્યપ્રદેશ સરકાર રાજ્યમાં આવતી દવાઓનું રેન્ડમ નિરીક્ષણ પણ કરે છે, પરંતુ આ સીરપ સંયોગથી તે નમૂના લેવાનું ચૂકી ગઈ.