કચ્છના રણથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી ઉર્જાક્ષેત્રે ગુજરાત દેશનું નેતૃત્વ કરી રહ્યું છે: કરણ અદાણી

પ્રતિકાત્મક
પ્રતિકાત્મક
કરણ અદાણીએ ઉમેર્યું કે, “અમારી ગુજરાત સાથેની ભાગીદારી ત્રણ દાયકાથી ચાલી રહી છે, જે બંદરો, લોજિસ્ટિક્સ, ઊર્જા અને ન્યૂ-એજ મટિરિયલ્સ સુધી વિસ્તરેલી છે. એક કંપની તરીકે, અમે છેલ્લા પાંચ વર્ષમાં ₹૨ લાખ કરોડનું રોકાણ કરી ચૂક્યા છીએ.”
અમદાવાદ, ભારત જેમ જેમ સ્વચ્છ અને વધુ ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે, તેમાં ગુજરાત રાષ્ટ્રના ઊર્જા સંક્રમણનું નેતૃત્વ કરી રહ્યું છે, તેમ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ ગુરુવારે જણાવ્યું હતું.
‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન’ ને સંબોધતા તેમણે કહ્યું કે કચ્છના રણથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી, રાજ્ય આવતીકાલના ઊર્જા લેન્ડસ્કેપને આકાર આપી રહ્યું છે.
Mehsana, Gujarat: At the Vibrant Gujarat Regional Conference (North Gujarat), MD of Adani Ports and SEZ Ltd., Karan Adani says, “It is truly a privilege to be here at the Vibrant Gujarat Regional Conference. Over the years, many states have hosted investor summits, but Vibrant Gujarat, envisioned by PM Narendra Modi, continues to set the gold standard. It reflects India’s economic confidence, entrepreneurial energy and spirit of global partnership…”
Mehsana, Gujarat: At the Vibrant Gujarat Regional Conference (North Gujarat), MD of Adani Ports and SEZ Ltd., Karan Adani says, “It is truly a privilege to be here at the Vibrant Gujarat Regional Conference. Over the years, many states have hosted investor summits, but Vibrant… pic.twitter.com/qK2lpZvcbV
— IANS (@ians_india) October 9, 2025
કરણ અદાણીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે, “અદાણી ગ્રૂપમાં અમે અદાણી ગ્રીન એનર્જી દ્વારા આ પરિવર્તનનો ભાગ બનવા બદલ ગૌરવ અનુભવીએ છીએ. અમે ગુજરાતના ખાવડા ખાતે ટૂંક સમયમાં જ ૩૦,૦૦૦ મેગાવોટની ક્ષમતા સાથે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છીએ.”
આત્મનિર્ભરતા પર ભાર -તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે અદાણી ગ્રૂપ સૌર, પવન, કોપર, ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન પીવીસીમાં મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઊભું કરી રહ્યું છે, જેથી ભારતનું આ હરિત સંક્રમણ ખરા અર્થમાં ‘આત્મનિર્ભર’ અને ભવિષ્ય માટે તૈયાર હોય.
કરણ અદાણીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત ભારતની પ્રગતિ અને આત્મનિર્ભરતાનું પ્રતીક બની ગયું છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ગુજરાત આજે ભારતની વિકાસ ગાથામાં મજબૂત યોગદાન આપી રહ્યું છે. પરંતુ આ આંકડાઓ પાછળ કંઈક વધુ શક્તિશાળી છુપાયેલું છે — અને તે છે અહીંના લોકોનો ભાવનાત્મક જુસ્સો.”
અહીંના દરેક ઉદ્યોગસાહસિક, દરેક કામદાર, દરેક યુવા વિદ્યાર્થી માને છે કે ગુજરાતનો વિકાસ એ ભારતનો વિકાસ છે, અને આ માન્યતા જ ગુજરાતની સૌથી મોટી તાકાત છે, તેમ તેમણે ઉમેર્યું.
“આ ખરા અર્થમાં આત્મનિર્ભરતાનું કાર્ય છે – ભારતમાં ઉત્પાદન કરવું, ભારતમાં નવીનતા લાવવી અને ભારતમાં સશક્તિકરણ કરવું,” તેમ જણાવી કરણ અદાણીએ ઉમેર્યું કે, “અમારી ગુજરાત સાથેની ભાગીદારી ત્રણ દાયકાથી ચાલી રહી છે, જે બંદરો, લોજિસ્ટિક્સ, ઊર્જા અને ન્યૂ-એજ મટિરિયલ્સ સુધી વિસ્તરેલી છે. એક કંપની તરીકે, અમે છેલ્લા પાંચ વર્ષમાં ₹૨ લાખ કરોડનું રોકાણ કરી ચૂક્યા છીએ.”
તેમણે કહ્યું કે આ પ્રકારના પ્રાદેશિક સંમેલનો ખૂબ જ વિશેષ હોય છે કારણ કે તે તકના આગામી મોજા પર વધુ ઊંડાણપૂર્વક જોડાણ, કેન્દ્રિત વાતચીત અને નવા સહયોગ માટે અવકાશ આપે છે.
આ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં ટ્રેડ શો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરીને કર્યો હતો. ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહ્યા હતા.