Western Times News

Gujarati News

તમન્ના ભાટિયા અંગે અન્નુ કપૂરે કરી વિવાદાસ્પદ ટિપ્પણી

મુંબઈ, ટેલિવિઝન અને બોલીવુડના જાણીતા કલાકાર અન્નુ કપૂર તેમના અવાજ માટે અને સ્પષ્ટવક્તા તરીકે જાણીતા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે અભિનેત્રી તમન્ના ભાટિયા વિશે કરેલી ટિપ્પણીથી લોકોના ગુસ્સાનો ભોગ બન્યા છે.

અભિનેત્રી તમન્ના ભાટિયાના વાઇરલ ગીત ‘આજ કી રાત’ પર અન્નુ કપૂરનો ફની પણ થોડો વિવાદાસ્પદ પ્રતિભાવ અને એક નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. હવે, લોકો તેમની ઉગ્ર ટીકા કરી રહ્યા છે, અને તેમણે પોતાની ઉંમરનો વિચાર કરવાનું બંધ કરી દીધું હોવાનું કહી રહ્યા છે.

ચાલો જાણીએ કે અન્નુ કપૂરે શું કહ્યું.તમન્નાએ કહ્યું હતું કે માતાઓ તેમના બાળકોને ઊંઘાડવા માટે ગીતો ગાય છે. આ નિવેદનની મજાક ઉડાવતા અન્નુ કપૂરે કહ્યું હતું કે માશાઅલ્લાહ, કેટલું દૂધિયું શરીર! કેટલા વર્ષના બાળકો સૂએ છે? ૭૦ વર્ષનો વૃદ્ધા પણ સૂઈ શકે છે!અંગ્રેજીમાં તે કહે છે કે તે ૭૦ વર્ષના છે. હું ૭૦ વર્ષનો છોકરો છું, કોઈ ૧૧ વર્ષનો વૃદ્ધ પણ હોઈ શકે છે.

તો કોણ સૂવે છે? એ કેવી રીતે ખબર પડે?” તમન્નાના નિવેદન પર તેમના રમુજી પ્રતિભાવથી લોકો હસવા લાગ્યા અને વિચારવા લાગ્યા.અન્નુ કપૂરે તમન્નાની પ્રશંસા કરતા કહ્યું કે જો તેનું ગીત કે તેનો “દૂધિયો” ચહેરો બાળકોને ઉંધાડે છે, તો તે દેશ માટે સારી વાત છે. તેમણે કહ્યું કે જો આપણા બાળકો સારી અને સ્વસ્થ રીતે સૂઈ જાય તો આ દેશ માટે ખૂબ સારી વાત હશે.

તેમણે એમ પણ કહ્યું કે જો તમન્નાની બીજી કોઈ ઈચ્છા હોય, તો તે ભગવાન પાસે પ્રાર્થના કરશે, જેથી તે તેને પૂર્ણ કરી શકે.સોશિયલ મીડિયા પર આ ઇન્ટરવ્યૂ પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી છે.

કેટલાક લોકોએ અન્નુ કપૂરની ટિપ્પણીઓને રમુજી ગણાવી જ્યારે કેટલાક લોકોએ તેમની ઉંમરનો ઉલ્લેખ કરીને સૂચવ્યું કે તેઓ વૃદ્ધ થઈ ગયા છે. કેટલાક લોકોએ કહ્યું કે તેમની ટિપ્પણીઓ વાહિયાત હતી અને તેમણે આ ઉંમરે થોડો સંયમ રાખવો જોઈતો હતો.એક વ્યક્તિએ લખ્યું હતું કે કેટલી નબળી ટિપ્પણી.

બીજા વ્યક્તિએ લખ્યું હતું કે તેમને પોતાની ઉંમરનો આદર કરવાનું ભૂલી ગયા છે. જોકે, અન્નુ કપૂરની ટિપ્પણીઓએ સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા જગાવી રહી છે, અને લોકો વિવિધ મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.