પાલિતાણામાં શ્રદ્ધાળુઓ વચ્ચે સિંહોની લટાર, સિંહની હાજરીથી ભારે કુતૂહલ સર્જાયું
File
ભાવનગર, ભાવનગરના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણામાં એક અદભૂત અને પ્રેરક દૃશ્ય સર્જાયું હતું. શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે પપાવતી માતાજીના મંદિર નજીક સિંહ જોવા મળ્યા હતા. ગ્રામ માહિતી અનુસાર પપાવતી મંદિર તરફ જતા માર્ગ પર ૪ સિંહોના એક ટોળામાંથી બે સિંહ પાલીતાણા જૈન તીર્થના માર્ગ પર લટાર મારતા જોવા મળ્યા હતા. આ સિંહો ડુંગર પરથી અચાનક જૈન તીર્થધામના પથ પર પહોંચી ગયા હતા.
સૌથી અચરજની વાત એ હતી કે આ માર્ગ પર શ્રદ્ધાળુઓ અને સિંહ એક સાથે ચાલતા નજરે પડ્યા હતા. આ દૃશ્ય જોઈને જૈન શ્રદ્ધાળુઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. સિંહ શ્રદ્ધાળુઓને કોઈપણ જાતનું નુકસાન પહોંચાડ્યું નહોતું. જૈન તીર્થધામના પવિત્ર માર્ગ પર સિંહ દર્શન થતાં શ્રદ્ધાળુઓ માટે આ એક અનન્ય અને યાદગાર ક્ષણ બની રહી હતી.
