વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજની પદયાત્રામાં ઉમટ્યો 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓનો જનસાગર
વૃંદાવન (મથુરા): મથુરાના વૃંદાવન ખાતે પ્રસિદ્ધ સંત શ્રી પ્રેમાનંદ મહારાજની પદયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓનો અકલ્પનીય જનસાગર ઉમટી પડ્યો હતો.
શ્રી કૃષ્ણ શરણમ્ કોલોનીથી લઈને રાધા કેલિ કુંજ સુધીની આ યાત્રામાં ભાગ લેવા માટે ભક્તો વહેલી સવારથી નહીં, પરંતુ રાતથી જ લાંબી લાઈનોમાં ગોઠવાઈ ગયા હતા. Massive turnout in Vrindavan as thousands joined Saint Premanand Maharaj’s foot march from Shri Krishna Sharanam Colony to Radha Keli Kunj. Over one lakh devotees gathered during the weekend.
સપ્તાહના અંતે (વીકએન્ડ) આવેલી રજાને કારણે આ પદયાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. સ્થાનિક અહેવાલો મુજબ, આ દિવ્ય પદયાત્રામાં લગભગ 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સંત પ્રેમાનંદ મહારાજના દર્શન અને તેમના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા હતા.
આ વિશાળ જનસમુદાયે વૃંદાવનના માર્ગો પર ભક્તિમય વાતાવરણનું નિર્માણ કર્યું હતું, જ્યાં દરેક ભક્ત ‘જય શ્રી કૃષ્ણ’ના નાદ સાથે સંતના ચરણોમાં શ્રદ્ધા અર્પણ કરવા આતુર દેખાતા હતા.
Massive turnout in Vrindavan as thousands joined Saint Premanand Maharaj’s foot march from Shri Krishna Sharanam Colony to Radha Keli Kunj. Over one lakh devotees gathered during the weekend.
Share this for the good health of Premanand Maharaj Ji.#Mathura #premanandjimaharaj pic.twitter.com/JneEdVKOS0
— MindBuzz News (@MindbuzzNews) October 27, 2025
વૃંદાવનના કેલી કુંજ આશ્રમમાં બિરાજતા સંત પ્રેમાનંદ મહારાજ આજે લાખો-કરોડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયા છે. માત્ર વૃદ્ધો જ નહીં, યુવાનો અને બાળકો પણ તેમના પ્રવચનો સાંભળવા માટે આતુરતાથી દોડી આવે છે. મહારાજની વિશેષતા એ છે કે તેઓ જીવનના દરેક ક્ષેત્રના લોકોને સરળતાથી સમજાય તે રીતે સકારાત્મક વિચારો દ્વારા માર્ગદર્શન આપે છે.
તાજેતરમાં, પ્રેમાનંદ મહારાજનું સ્વાસ્થ્ય બરાબર ન હોવાથી તેમના ભક્તોમાં ચિંતા હતી. મળેલા અહેવાલો મુજબ, મહારાજની બંને કિડની ખરાબ છે, જેના કારણે તેમને સપ્તાહમાં પાંચ દિવસ ડાયાલિસિસ કરાવવું પડે છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં, મહારાજ કલાકો સુધી આશ્રમમાં બેસીને પ્રવચન આપે છે અને ભક્તોને દર્શન આપવા માટે પદયાત્રા પણ કરે છે.
