Western Times News

Gujarati News

પંજાબના તરનતારનમાં નગર કીર્તન દરમિયાન બ્લાસ્ટ

પ્રતિકાત્મક

નવી દિલ્હી, પંજાબના તરનતારનમાં નગર કીર્તન દરમિયાન થયેલા બ્લાસ્ટમાં 2 લોકોના મોત હોવાની માહિતી સામે આવી છે જ્યારે 3 લોકો ગંભીરપણે ઘાયલ થયા છે. જ્યારે મળતી જાણકારી મુજબ આતશબાજી દરમિયાન બ્લાસ્ટ થયો. અમૃતસર બોર્ડર રેંજના આઈજી સરિંદરપાલ સિંહ પરમારે જણાવ્યુ કે, અકસ્માતે થયેલા આ બ્લાસ્ટમાં 2 લોકોના મોત થયા જ્યારે 11 લોકો ઘાયલ છે, તેમણે જણાવ્યું કે, આ પહેલા જે મૃતકોના આંકડા SSP તરફથી આપવામાં આવ્યા હતા તે પ્રત્યક્ષદર્શીના આધારે આપવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, આ પહેલાં આ ઘટના વિશે તરનતારનના એસએસપી ધ્રુવ દાહિયાએ જણાવ્યું કે, પ્રત્યક્ષદર્શિઓ અનુસાર 14 લોકોના મોત થયાં છે 3 લોકો ગંભીરપણે ઘાયલ છે. તેમણે જણાવ્યું કે, નગર કિર્તન દરમિયાન આતશબાજી દરમિયાન ટ્રેક્ટર ટોલીમાં બ્લાસ્ટ થયો છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.