Western Times News

Gujarati News

BAPS સ્વામિનારાયણ મંદિર, અમદાવાદમાં પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને યોજાયો ભવ્ય શાકોત્સવ

અમદાવાદ, પૃથ્વીને અનેકવિધ શાકભાજી અને ફળોથી સમૃદ્ધ કરી સમગ્ર માનવજાત પર મહેર કરનાર એવા પરમાત્મા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ વિશિષ્ટ ઉત્સવની પ્રતિ વર્ષ અનેરા ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક તમામ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

આજે, ૨ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ, ચાતુર્માસના અંતે પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને અમદાવાદમાં બી.એ.પી.એસ. શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની ભવ્ય હાટડીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેંકડો હરિભક્તોએ આજના આ પવિત્ર દિને કલાત્મક રીતે ભગવાન સમક્ષ અર્પણ કરેલાં ૮૦ કરતાં વધુ પ્રકારના શાકભાજી અને ૨૦ કરતાં વધુ પ્રકારના ફળોની હાટડીના દર્શન કર્યા હતાં અને સાંજે વિશિષ્ટ આરતીનો લાભ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.