Western Times News

Gujarati News

રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન

ગાંધીનગર,રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત રાજ્યમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ પ્રસંગને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શુક્રવાર, ૭ નવેમ્બરનાં રોજ સરકારી કચેરીઓના સમયમાં એક દિવસ માટે ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવે તે દિવસે કચેરીઓ સવારે ૯ઃ૩૦ વાગ્યે શરૂ થઈને સાંજે ૫ઃ૧૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ નિર્ણયનો હેતુ એ છે કે, રાજ્યના તમામ કર્મચારીઓ અને નાગરિકો આ ઐતિહાસિક અને પ્રેરણાદાયક કાર્યક્રમમાં જોડાઈ શકે. વંદે માતરમ, જે રાષ્ટ્રભક્તિના ઉન્નત ભાવોને વ્યક્ત કરતું ગીત છ તેના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતભરમાં વિવિધ જિલ્લામથકો પર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

વિગતો મુજબ આ સંદર્ભે મુખ્ય કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાશે, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે અને કાર્યક્રમને સંબોધિત કરશે. આ પ્રસંગે દેશપ્રેમ, એકતા અને સ્વાભિમાનના સંદેશ સાથે સંગીતમય કાર્યક્રમો, દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક રજૂઆતોનું પણ આયોજન થવાનું છે.
રાજ્યભરના તમામ જિલ્લામથકો પર પણ આ દિવસને ભવ્ય રીતે ઉજવવામાં આવશે, જેમાં શાળાઓ, કોલેજો અને સરકારી વિભાગો સહભાગી બનશે. આ પ્રસંગ રાજ્યના નાગરિકોને રાષ્ટ્રગૌરવની ભાવના સાથે જોડવાનો અનોખો પ્રયાસ છે.

આજે સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર ઃ ગાંધીનગરમાં યોજાશે મુખ્ય કાર્યક્રમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.