Western Times News

Gujarati News

અરવલ્લી ચૌધરી સમાજનો સતત સાતમો સપ્તપદી સમૂહ લગ્નોત્સવ ભેંસાવાડા યોજાયો 

અખિલ અાંજણા ચાૈધરી સમાજ અરવલ્લી નો સાતમો સપ્તપદી સમૂહ લગ્નોત્સવ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ખાતે યોજાયો હતો.જેમાં 10 યુગલો એ દામ્પત્ય જીવનની શરુઆત કરી હતી. અરવલ્લી આંજણા ફાઉન્ડેશન ધ્વારા આ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.વર્તમાન સમયની સૌથી વધુ  માંગ છે

સમૂહ લગ્નોત્સવ.સમૂહ લગ્નાેત્સવથી અાઠ ફાયદાે તાે સીધા થાય છે. સમય,અર્થ,સુખ,સમર્પણ,સંગઠન,સાહસ ,શિક્ષા અને ,સામાજિક સમરસતા વધે છે.સમૂહ લગ્નોત્સવની થેરાેપીથી પણ સમાજની તબિયત સુધરતી હાેય છે.અે સિવાય અપ્રત્યરૂપે ઘણા લાભ સમૂહ લગ્નોત્સવમાં થાય છે.મુઠ્ઠીભર યુવા ચેતનાઅે અાજથી સાત વર્ષ પહેલાં સમૂહ લગ્નોત્સવ નો પ્રારંભ કર્યો હતો.સમાજનો બહોળો પ્રતિસાદ મળતાં અરવલ્લી અાંજણા ફાઉન્ડેશનના નેજા હેઠળ અાયાેજીત સાતમો સપ્તપદી સમૂહ લગ્નાેત્સવ 9 ફેબ્રુઆરી, 2020ને  રવિવારના રાેજ ફુલ ગુલાબી માહાેલમાં અને વસંતી વાયરાઅાેની સાક્ષીમાં ભેંસાવાડાની પાદરમાં સંગીતમય અને હજારાે સમાજજનાેની હૂંફાળી હાજરીમાં યોજાયો હતો.અાંજણા ફાઉન્ડેશનના યુવાઅાે દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

.આ સમૂહલગ્નોત્સવ મા 10 યુગલો રેશમ ગાંઢે ગૂંથાયા હતા.આ સમૂહલગ્નોત્સવ માં 1 લાખ સ્કે. ફુટનો મંડપ બાંધવામાં આવ્યો હતો.પ્રકાંડ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર,જાનૈયાઅાેનું સંગીતના સથવારે અને 15 હજાર લોકોનો જમણવાર રાખવામાં આવ્યો હતો.સ્વયં સેવકો એ સુંદર કામગીરી કરી હતી.ભોજનને ટેબલ સુધી પહોંચાડવાની, ટ્રાફિક શિસ્તને જાળવવા ચૂનાની માર્કિંગ, દિવ્યાંગાે અને સિનીયર  સિટીઝન માટે વ્હીલ ચેર, દૂધપીતાં બાળકાે માટે ઘાેડિયાઘર અને મેડીકલની ટીમ અને અિગ્નશામક દળની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અરવલ્લી આંજણા ફાઉન્ડેશન ધ્વારા આ સમૂહ લગ્નોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.