Western Times News

Gujarati News

અહેમદ સૈયદ મોઇનુદ્દીન ૭ નવેમ્બરની સાંજે અમદાવાદની આ હોટલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો

આતંકવાદીઓ અમદાવાદ હથિયાર લેવા આવ્યા હતા -અહેમદ સૈયદ મોઇનુદ્દીન, ૭ નવેમ્બરની સાંજે અમદાવાદમાં હોટેલ ગ્રાન્ડ એમ્બિયન્સમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો

(એજન્સી)અમદાવાદ, ગુજરાત એસટીએસએ આઈએસઆઈએસ મોડ્યુલ અંગે એક મોટો ખુલાસો કર્યો છે. આ મોડ્યુલના આતંકીઓ રાઈઝિન નામના કેમિકલનો ઉપયોગ કરીને દેશવ્યાપી કેમિકલ હુમલાનું આયોજન કરી રહ્યા હતા. મોડ્યુલનો માસ્ટરમાઇન્ડ, અહેમદ સૈયદ મોઇનુદ્દીન ૭ નવેમ્બરની સાંજે અમદાવાદમાં હોટેલ ગ્રાન્ડ એમ્બિયન્સમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓ હથિયારો એકત્રિત કરવા માટે અમદાવાદ આવ્યા હતા. ઉત્તર પ્રદેશના લખીમપુરના રહેવાસી મોહમ્મદ સુહેલ પાસેથી કાળા આઈએસઆઈએસ ઝંડા મળી આવ્યા છે, જે આ જ મોડ્યુલમાં સામેલ અન્ય એક આતંકવાદી છે. ચીનથી એમબીબીએસ પૂર્ણ કરનાર અને હૈદરાબાદના રહેવાસી, અહેમદ સૈયદ મોઇનુદ્દીન, જે એક ડૉક્ટર છે, તેની આતંકવાદી પ્રોફાઇલ પણ મળી આવી છે. દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે, હેન્ડલર્સ વચ્ચેની વાતચીત ડિજિટલી ગુપ્ત રાખવાના હતા.

જણાવી દઈએ કે, ગુજરાત એસટીએસએ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ જ કેસમાં હૈદરાબાદમાં એક ડૉક્ટરની પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એસટીએસ હૈદરાબાદમાં ડૉ. અહેમદ સૈયદના ઘરે પહોંચી, ત્યારે તેઓએ આતંકવાદ સંબંધિત મોટી માત્રામાં ગુનાહિત સામગ્રી જપ્ત કરી હતી.

ડૉ. અહેમદના ભાઈ ઉમરે જણાવ્યું કે, બુધવારે વહેલી સવારે ૧૦ લોકો પહોંચ્યા અને ૩ કિલો એરંડાનો પલ્પ, ૫ લિટર એસીટોન, કોલ્ડ-પ્રેસ તેલ કાઢવાનું મશીન અને એસીટોન ડિલિવરી માટે રસીદ લઈ ગયા હતા.

ઉમરે જણાવ્યું કે, તેના ભાઈ અહેમદે ચીનમાં દવાનો અભ્યાસ કર્યો હતો અને તેને એક પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. એરંડાનો પલ્પ ખૂબ જ ઝેરી રાઈઝિન ઉત્પન્ન કરવા માટે વપરાય છે. તે માનતો નથી કે, તેનો ભાઈ અહેમદ રાઈઝિનની ખતરનાક ઝેરી વિશે જાણતો હોય.

રાઈઝિન એક અત્યંત ઝેરી કુદરતી પ્રોટીન છે. એરંડાના પલ્પમાંથી તેલ કાઢ્યા પછી રાઈઝિન નીકળે છે. તે એક ખૂબ જ શક્તિશાળી ઝેર છે, જેનો ઉપયોગ જૈવિક શસ્ત્રો બનાવવા માટે થઈ શકે છે. જો શ્વાસમાં લેવામાં આવે, ઇન્જેક્ટ કરવામાં આવે અથવા ગળી જાય તો રાઈઝિન જીવલેણ બની શકે છે.

આતંકી આઝાદ શેખે હરિદ્વારમાં મંદિરોમાં રેકી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આતંકી આઝાદ ઘણા સમયથી કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માગતો હતો. આતંકી કટ્ટરવાદી હોવાની જાણ થતાં તેની પત્નીએ તેનો સાથ છોડ્‌યો હતો. તપાસ ટીમે વધુમાં દાવો કર્યો છે કે ડૉ. અહેમદે વાતચીતમાં કોડ શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને તેમના હેન્ડલર્સ સાથે સંપર્ક જાળવવા માટે ડાર્ક-વેબ કોમ્યુનિકેશન ચેનલો પર આધાર રાખ્યો હતો. ડિજિટલ ફોરેન્સિક્સ ટીમો હાલમાં ડીલિટ કરાયેલા ડેટાને ફરીથી મેળવવા અને જપ્ત કરેલા ઉપકરણોમાંની તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.