Western Times News

Gujarati News

૨૫ નવેમ્બર, “સાધુ વાસવાણી જન્મદિવસ – આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે”

દર વર્ષે ૨૫ નવેમ્બરે કરૂણાવતાર, કેળવણીકાર, એક મહાન કવિ, તત્વજ્ઞાની, સંત અને ગરીબો, પ્રાણી જીવમાત્રના સેવક સાધુ ટી.એલ. વાસવાણીજીનાં જન્મદિવસે “આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે” ઉજવવામાં આવે છે. સાધુ વાસવાણીજીનું સંપૂર્ણ જીવન સમાજ સેવા થકી પ્રભુ સેવાનાં કાર્યોમાં જ પસાર થયું હતું.

૧૯૯૩માં હૈદરાબાદમાં કન્યાઓ માટે સેન્ટ મીરા સ્કુલની સ્થાપના કરી તેઓએ કન્યા કેળવણી (શિક્ષણ) પર ભાર મુક્યો, કારણ કે તેઓ માનતા હતા કે જે ઘરમાં સ્ત્રી શિક્ષિત હશે તે આખું કુટુંબ શિક્ષિત બનશે. તેઓ અભ્યાસમાં ચારિત્ર્ય નિર્માણ પર ભાર મુકતા સાદગી, સેવા, પવિત્રતા અને પ્રાર્થના તેમના મુખ્ય ચાર સિધ્ધાંતો રહ્યા હતાં.

તેઓ કહેતા કે માસ ન ખાવાથી આપણે ઘણી બધી બિમારીઓ જેવી કે મેદવૃદ્ધિ, હદયને લગતી બિમારીઓ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અમુક પ્રકારનાં કેન્સર (ખાસ કરીને ફેફસાના કેન્સરથી) બચી શકીએ છીએ. માસ શાકભાજી કરતા મોંઘુ હોવાથી તેનો વપરાશ બંધ કરવાથી નાણાની બચત પણ કરી શકાય છે ઉપરાંત માસ ખાવાથી થતી બિમારીઓનો જોખમ ઘટવાથી દવાઓ પાછળ થતા ખર્ચને પણ બચાવી શકાય છે અને આ રીતે સ્વાસ્થ્ય અને પર્યાવરણ સુધારા દ્વારા આપણે દેશ માટે વધુ ઉપયોગી કાર્ય કરી શકીએ છીએ.

માંસાહાર એક એવો ખોરાક છે જે લીધા પછી માણસનું શરીર સંપૂર્ણપણે એસીડીક બનતું જાય છે અને સ્વાસ્થ્ય જાળવવા માટે માનવ શરીર એસીડીકનાં સ્થાને અલ્કલાઇનની નજીક વધુ રહે એ વધુ હિતાવહ કહેવાય માટે શાકાહાર અપનાવવું જોઈએ.

વિચિત્ર પ્રકારનાં ઘડેલા ખોરાક ખાવાને બદલે કુદરતે આપેલું ભોજન લેવું વધુ યોગ્ય છે. વળી માંસાહાર કરતાં શાકાહારમાં મળતાં ન્યુટ્રિશન્સ વધુ ચડિયાતાં છે, એ વાત આપણે ભૂલી જઈએ છીએ. કસાયેલું સિક્સ-પેક એબ્સ વાળું બોડી બનાવવું હશે તો અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદિ માનવશરીર માટે એક સંપૂર્ણ ફૂડ-પેકેજ જ છે, જેમાં જરૂરી વિટામિન, મિનરલ્સથી શરૂ કરીને પ્રત્યેક ન્યુટ્રિશન્સનો સમાવેશ થઈ જાય છે.

સંતુલિત શાકાહારી ખોરાક વ્યક્તિને બાવડેબાજ અને મજબૂત બનાવી શકે છે. શાકાહાર હ્રદયસંબંધી રોગના ખતરાને દૂર રાખે છે માંસાહારમાં સંતૃપ્ત ચરબી (સેચ્યુરેટેડ ફેટ)નું પ્રમાણ ઘણું વધારે હોય છે, જેને કારણે હ્રદયસંબંધી બિમારીઓ થવાનો ભય રહે છે. પરંતુ વેજ-ફૂડમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર હોય છે,

તેમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ બહુ જ ઓછું જોવા મળે છે, જેના કારણે બ્લડ-પ્રેશર અને કોલેસ્ટેરોલ પણ નિયંત્રણમાં રહે છે, સરવાળે, મોટી ઉંમરે હ્રદયને કાર્યાન્વિત રાખવામાં શાકાહાર ઉપયોગી પૂરવાર થાય છે. શાકાહારનાં સેવનથી શરીરમાં નકામી ચરબી જમા નથી થતી. સ્વસ્થતાનો માપદંડ ગણાતો ‘બોડી માસ ઇન્ડેક્સ’ (બીએમઆઈ) પણ શાકાહારીઓમાં માંસાહારીની તુલનામાં વધુ સારો જોવા મળે છે.

શરીરનું વજન એકસરખું જાળવી રાખવા તેમજ સંતુલિત સ્વાસ્થ્ય માટે શાકાહારને વધુ મહત્વ આપવાની નિષ્ણાંતો સલાહ આપે છે. શાકાહાર લાંબી આયુનું વરદાન આપે છે. સંતૃપ્ત ચરબી ધરાવતો ખોરાક (માંસાહાર) ખાવાથી માનવશરીરમાં ઘણી પરેશાનીઓ ઉભી થવાની શક્યતા રહે છે. બ્લડ-પ્રેશર, કોલેસ્ટેરોલથી શરૂ કરીને મેદસ્વીપણાની સમસ્યાનો શિકાર બનતાં વાર નથી લાગતી!

લાંબાગાળે માંસાહારની આદત શરીરમાં બિમારીઓને આમંત્રણ આપે છે, જે મનુષ્યની ઉંમર ઘટાડવાનું કામ કરે છે. ડોક્ટર્સ અને સંશોધકો લાંબી આયુ માટે શાકાહાર પર પસંદ ઉતારવાની તાકીદ કરે છે તે પાચનતંત્ર માટે સુયોગ્ય ખોરાક છે. વેજિટેરિયન ખોરાકમાં રહેલું ફાઇબર પાચનતંત્રને વધુ કાર્યક્ષમ અને બહેતર બનાવવાનું કામ કરે છે. નોન-વેજ ફૂડમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી તે આરોગનાર વ્યક્તિને પાચન-સંબંધી ઘણી સમસ્યાઓ નડે છે.

ફ્રૂટ, શાકભાજી, કઠોળ વગેરેમાં ફાઇબરનું પ્રમાણ ખાસ્સું વધારે હોવાથી હેલ્થ એક્સપટ્‌ર્સ હંમેશા શાકાહારને વધુ પ્રાધાન્ય આપે છે. શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી વધારવા માટે શાકભાજી સાથે દેશી ગાયનાં દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે.

ભારતીય વંશની ગાયના દૂધમાં એક મહત્?વનું ઘટક સેરીબ્રોસાઇડ નામનું તત્?વ છે જે મગજ અને બુદ્ધિના વિકાસ માટે સહાયક છે. વળી આ પણ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે હાથી, ઘોડો, ગાય, ગેંડો, હિપોપોટેમસ, બકરી, ઊંટ, હરણ જેવા તમામ શક્તિશાળી અને બુદ્ધિશાળી પ્રાણીઓ શાકાહારી જ છે માટે લાબું અને સ્વસ્થ જીવન જીવવા માટે ખાવાનું આદતો સારી બનાવવી જોઈએ અને માદક દ્રવ્યોનાં સેવનથી પણ દુર રહેવું જોઈએ. – મિત્તલ ખેતાણી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.