ચૂંટણી પંચે બંગાળની મતદાર યાદીમાંથી ૫૮ લાખ નામ હટાવી દીધા
પ્રતિકાત્મક
આ ૫૮ લાખ નામોમાંથી ૨૪ લાખ લોકોને મૃત, જ્યારે ૧૯ લાખને રિલોકેટ, ૧૨ લાખને મિસિંગ અને ૧.૩ લાખને ડ્યુપ્લિકેટ તરીકે માર્ક કરવામાં આવ્યા
(એજન્સી)કોલકાતા, દેશભરમાં એસઆઈઆરને લઈને ખુબ ચર્ચા છે. પશ્ચિમ બંગાળથી આ સંલગ્ન અનેક મામલાઓ સામે આવતા જોવા મળ્યા છે. બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે તે પહેલા હાથ ધરાયેલી એસઆઈઆર પ્રક્રિયા બાદ રાજ્યમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ ૫૮ લાખ નામ હટાવવામાં આવ્યા છે.
આ ૫૮ લાખ નામોમાંથી ૨૪ લાખ લોકોને મૃત, જ્યારે ૧૯ લાખને રિલોકેટ, ૧૨ લાખને મિસિંગ અને ૧.૩ લાખને ડ્યુપ્લિકેટ તરીકે માર્ક કરવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે ત્રણ ફેઝની એસઆઈઆર પ્રક્રિયાનો બીજો ભાગ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ચાલશે. ફાઈનલ મતદાર યાદી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પબ્લિશ કરાશે.
જે બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા થનાર હાઈ સ્ટેક પહેલા થશે. હટાવવામાં આવેલા નામોમાં અન્ય કારણોસર ૫૭,૬૦૪ વધુ નામોને હટાવવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે.
બંગાળ એસઆઈઆર પ્રોસેસ જે ૪ ડિસેમ્બરના રોજ શરૂ થઈ હતી અને ૧૧ ડિસેમ્બરે પૂરી થઈ તેમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓનું પલાયન, અને બૂથ લેવલ ઓફિસરના કડક ટાઈમલાઈન અને કામના દબાણને લઈને વિરોધ પ્રદર્શન થયા. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે આરોપ પણ લગાવ્યો કે એસઆઈઆર પ્રોસેસ દરમિયાન લગભગ ૪૦ ચૂંટણી અધિકારીઓના મોત થયા છે.
જે રોલથી અયોગ્ય નામોને હટાવવા માટે સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એસઆઈઆર પ્રોસેસનો ખુબ વિરોધ કર્યો હતો. તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર વિધાનસભા ચૂંટણી પહેલા વોટર લિસ્ટમાં હેરફેર કરવાનું ષડયંત્ર કરવાનો આરોપ લગાવ્યો હોત. આ સાથે જ તેમણે કહ્યું કે તેમની સરકાર કોઈને પણ બંગાળથી નીકળવા નહીં દે.
જો તમારું નામ હટાવવામાં આવશે તો કેન્દ્ર સરકારનું પણ નામ હટવું જોઈએ. બંગાળ ઉપરાંત એસઆઈઆર પ્રોસેસ આંદમાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પુડ્ડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં હાથ ધરાઈ.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણીપંચે મતદાર સુધારણાની કાર્યવાહી કરી હતી અને તેમાં મોટાપાયે બોગસ મતદારોને શોધી કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ અન્ય રાજ્યોમાં પણ આ કામગીરી ચાલી રહી છે. કેટલાંક વિરોધપક્ષો આ મુદ્દે સુપ્રીમકોર્ટમાં પણ ગયા હતા.
પરંતુ સુપ્રીમકોર્ટે કાર્યવાહી નહીં અટકાવતાં ચૂંટણીપંચે આ કાર્યવાહી ચાલુ રાખી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એસઆઈઆરનો વિરોધ કર્યો હતો. પરંતુ ત્યાંથી જ આટલી મોટી સંખ્યામાં નામ હટાવી દેવાતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા છે.
