Western Times News

Gujarati News

પદ્મશ્રી મળશે એવું તો મેં સપનામાં પણ વિચાર્યું નહોતું: આર. માધવન

મુંબઈ, ૭૭મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. જેમાં આ વખતે ધુરંધરના જાણીતા કલાકાર આર.માધવનના નામની પણ જાહેરાત થઈ છે.

આ મુદ્દે માધવને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ધન્યવાદ જાહેર કર્યાે હતો. તેણે આ પ્રતિષ્ઠિત સન્માન બાબતે પોતાનાં પરિવાર, માર્ગદર્શકો અને શુભચ્છકો તેમજ દર્શકોનો આભાર માન્યો છે અને કહ્યું છે કે તેમનો સહકાર અને શ્રદ્ધા જ હંમેશા તેની સફરના કેન્દ્રમાં રહ્યા છે. માધવને પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, “હું અંતરના ઉંડાણ અને વિનમ્રતા સાથે પદ્મ શ્રી સ્વીકારતા ઋણી છું. મને મળેલું આ સન્માન મારા સપનાઓથી પર છે અને હે તે મારા સમગ્ર પરિવાર વતી એ સ્વીકારું છું, જેમણે મને સતત સહકાર આપ્યો છે અને તેમની શ્રદ્ધા જ હંમેશા મારી તાકાત રહી છે.”

ગળ માધવને લખ્યું કે તેના માર્ગદર્સકોના આશીર્વાદ અને શુભેચ્છકોની શુભકામના તેમજ જનતાના પ્રેમ અને ઇશ્વરના આશીર્વાદથી તેને આ સિદ્ધિ મળવાનું શક્ય બન્યું છે. માધવને આ પુરસ્કારને એક સિદ્ધિથી વધુ જવાબદારી ગણાવી છે અને તેણે વચન પણ આપ્યું છે કે તે પોતાના આ મુલ્યોને વળગી રહેશે.

તેણે આગળ લખ્યું, “હું આને માત્ર એક પુરસ્કાર નહીં પણ એક જવાબદારી તરીકે જોઉં છું. આ પુરસ્કાર જે મુલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે તેવા પ્રત્યે ઉંડું પ્રદાન, ગંભીરતા અને નિષ્ઠા સાથે આ સન્માનને નીભાવવાનું વચન આપું છું.” માધવને આવનારા સમયમાં માનવતા અને કર્તવ્યનિષ્ઠા સાથે સેવા કરવાનું ચાલુ રાખી શકે એવી આશા વ્યક્ત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.