Western Times News

Gujarati News

ધારાસણા સત્યાગ્રહમાં ધરપકડ થતાં છ માસની જેલ પણ થઇ હતી અબ્બાસ તૈયબજીને

વડોદરા રાજ્યમાં ન્યાય ખાતામાં સેવા આપી તેમજ સયાજીરાવ ગાયકવાડના અંગત મિત્ર બન્યા.

અહિંસા અને અસહકાર આંદોલન પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને કારણે લોકો તેમને પ્રેમથી “છોટા ગાંધી” તરીકે પણ ઓળખાતા હતા.

સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ તૈયબજીની ૧૭૨મી જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

શ્રી અબ્બાસ શમશુદ્દીન તૈયબજીનો પરિચય:

ધર્મપ્રેમી,પ્રામાણિક,ન્યાયી અને ખુદાની બંદગી કરનાર શ્રી તૈયબજીનો જન્મ તા.૦૧ ફેબ્રુઆરી ૧૮૫૪ના રોજ વડોદરામાં થયો હતો. તેઓએ વર્ષ ૧૮૭૯-૧૯૧૩ દરમિયાન ૩૪ વર્ષ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરા રાજ્યમાં ન્યાય ખાતામાં સેવા આપી તેમજ સયાજીરાવ ગાયકવાડના અંગત મિત્ર બન્યા. વર્ષ ૧૯૧૯માં જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસ સમિતિમાં ગાંધીજી દ્વારા તેમની પસંદગી કરવામાં આવી હતી.

અબ્બાસ તૈયબજી (૧ ફેબ્રુઆરી ૧૮૫૪ – ૯ જૂન ૧૯૩૬) ગુજરાતના એક જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અને મહાત્મા ગાંધીના અત્યંત નજીકના સહયોગી હતા. તેઓ વડોદરા રાજ્યના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા અને ગાંધીજીએ તેમને આદરપૂર્વક “ગુજરાતના ગ્રાન્ડ ઓલ્ડ મેન” નું બિરુદ આપ્યું હતું.
  • ગાંધીજીના અનુગામી: ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપકડ બાદ, તૈયબજીને તેમના ઉત્તરાધિકારી તરીકે નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું, ૭૬ વર્ષની વયે તેમણે ધરાસણા સત્યાગ્રહની આગેવાની લીધી હતી.
  • “છોટા ગાંધી”: અહિંસા અને અસહકાર આંદોલન પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને કારણે લોકો તેમને પ્રેમથી “છોટા ગાંધી” તરીકે પણ ઓળખતા હતા.
  • ન્યાયિક કારકિર્દી: સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાતા પહેલા, તેઓ વડોદરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદેથી ૧૯૧૩માં નિવૃત્ત થયા હતા.
  • પરિવર્તનની ક્ષણ: ૧૯૧૯ના જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસ કરતી કોંગ્રેસની સમિતિના અધ્યક્ષ તરીકે કાર્ય કરતી વખતે પીડિતોની આપવીતી સાંભળી તેમનું હૃદય પરિવર્તન થયું [૧.૩.૧, ૧.૪.૫]. તેમણે પશ્ચિમી જીવનશૈલી અને વિદેશી કપડાં ત્યજીને ખાદી અપનાવી હતી.
  • કૌટુંબિક વારસો: તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ પ્રમુખ બદરૂદ્દીન તૈયબજીના ભત્રીજા હતા. પ્રસિદ્ધ પક્ષીશાસ્ત્રી સલીમ અલી તેમના ભત્રીજા હતા અને જાણીતા ઇતિહાસકાર ઇરફાન હબીબ તેમના પૌત્ર છે.

વર્ષ ૧૯૨૧માં ટિળક સ્વરાજ ફાળો‘ ઉઘરાવવામાં ખેડા જિલ્લાના રૂા. ૯૦ હજારના ફાળાની સામે રૂા.૧.૧૫ લાખનો ફાળો એકઠો કર્યો હતો. વર્ષ ૧૯૨૮ની ના-કરની લડતમાં સક્રિય થવાથી ધારાસણા સત્યાગ્રહમાં ધરપકડ થતાં છ માસની જેલ પણ થઇ હતી. શ્રી તૈયબજીનું તા.૦૯ મે ૧૯૩૬ના રોજ વડોદરા ખાતે અવસાન થયું હતું.

ભારતના સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ શમશુદ્દીન તૈયબજીની આજે ૧૭૨ મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભાના સચિવ શ્રી ચેતન પંડ્યા દ્વારા વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.

આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ વિધાનસભા સચિવ શ્રી ચેતન પંડ્યાના હસ્તે એસ.વી.અંગ્રેજી મીડિયમ શાળાના વિદ્યાથીઓ- શિક્ષકોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રિટા મહેતા,નાયબ સચિવ સર્વે શ્રી હર્ષિલ પટેલશ્રી ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓ- કર્મચારીઓ તેમજ ગાંધીનગરની એસ.વી.અંગ્રેજી મીડિયમના વિદ્યાથીઓ- શિક્ષકોએ શ્રી તૈયબજીના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.