ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને આત્મસમર્પણ કરવું પડશે
કોર્ટે આપ્યો આદેશ
અગાઉ એપ્રિલ ૨૦૧૮ માં મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને છ મહિનાની કેદની સજા ફટકારી હતી
મુંબઈ, બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે તેમને ૪ ફેબ્›આરી સુધીમાં જેલ અધિકારીઓ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે.બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી રાહત મળી નથી. કોર્ટે તેમને ૪ ફેબ્›આરી સુધીમાં જેલ અધિકારીઓ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કડક અવલોકન કરતાં જણાવ્યું હતું કે અભિનેતાએ ફરિયાદીને ખાતરી આપી હતી કે તે પૈસા પરત કરશે પરંતુ ટ્રાયલ કોર્ટના આદેશોનું પાલન કરવામાં આવ્યું નથી.
પીટીઆઈ અનુસાર, સુનાવણી દરમિયાન જસ્ટિસ શર્માએ જણાવ્યું હતું કે રાજપાલ યાદવે કોર્ટને વારંવાર આપેલા વચનોનો ભંગ હવે અવગણી શકાય નહીં. કોર્ટે નોંધ્યું હતું કે મુરલી પ્રોજેક્ટ્સ દ્વારા દાખલ કરાયેલા સાત અલગ અલગ કેસોમાં નીચલી કોર્ટે દરેક કેસમાં ૧.૩૫ કરોડની જવાબદારી નક્કી કરી હતી. વધુમાં રજિસ્ટ્રાર જનરલ પાસે જમા કરાયેલી રકમ ફરિયાદીને પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.કોર્ટના આદેશમાં એ પણ ખુલાસો થયો હતો કે ઓક્ટોબર ૨૦૨૫ માં ૭૫ લાખના બે ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવામાં આવ્યા હતા, પરંતુ લગભગ ¹ ૯ કરોડ બાકી છે.
કોર્ટે જણાવ્યું હતું કે વારંવાર સમય અને ખાતરીઓ માંગવા છતાં આદેશોનું પાલન કરવામાં આવ્યું નથી, અને તેથી કોઈપણ પ્રકારની ઉદારતા યોગ્ય નથી. આવી પરિસ્થિતિઓમાં અભિનેતાએ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા ભોગવવા માટે આત્મસમર્પણ કરવું પડશે. રાજપાલ યાદવે કેસ પેન્ડિંગ હોય ત્યારે દુબઈ જવા માટે હાઈકોર્ટ પાસેથી પરવાનગી પણ માંગી હતી, જેની સુનાવણી અલગથી થઈ હતી.રાજપાલ યાદવ અને તેની પત્ની દ્વારા ૨૦૧૯ ના સેશન્સ કોર્ટના તેમની સજાને જાળવી રાખવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર આ આદેશ આવ્યો છે. અગાઉ એપ્રિલ ૨૦૧૮ માં મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને છ મહિનાની કેદની સજા ફટકારી હતી. SS1
