કપિલ શર્માએ પિતૃત્વ, કરિયર અને કામનો અર્થ લઈને ખુલ્લેઆમ વાત કરી
મુંબઈ, ભારતીય કોમેડિયન અને ટેલિવિઝનનાં સૌથી જાણીતા નામો પૈકીના એક કપિલ શર્માએ તાજેતરમાં આપેલી એક ઇન્ટરવ્યુમાં પોતાના જીવન, પરિવાર અને કામ અંગે ખેલદિલીપૂર્વક વાત કરી હતી.
કપિલે જણાવ્યુ હતું કે પિતૃત્વના કારણે તેના જીવનમાં પ્રાથમિકતા અને જીવન દૃષ્ટિકોણ બાબતે મોટુ પરિવર્તન આવ્યું છે. તેઓ કહે છે કે આજે તે એવા કામ પસંદ કરે છે જે કેવળ હાસ્ય પૂરું પાડતા નથી, પણ જે મહત્વપૂર્ણ અર્થ ધરાવતો હોય અને તેમના બાળકો સાથે ગૌરવભાવ રાખે. તેઓ ઉમેરે છે કે તેઓ નહી ઇચ્છે કે તેમના સંતાનોને લાગે કે તેમના પિતાએ માત્ર નિરર્થક હાસ્ય અને કામો કરીને જ જીવન પસાર કર્યું હતું.
આ ઇન્ટરવ્યુમાં કપિલે જીવન અને કરિયરમાં થયેલાં કેટલાંક સારા અને કેટલાંક ખરાબ અનુભવોની પણ વાત કરી હતી, જેમ કે તેઓએ નાનપણથી ગીત ગાવાનું, અચ્છા કોમેડિયન બનવાનું અને જીવનમાં સફળ થવાનું સ્વપ્ન જોયું હતું. તે સાથે તેણે આ તમામ બાબતો હાંસલ કરતી વખતે હતાશા અને નિરાશાનો પણ ભારે સામનો કર્યાે હતો.
તેણે જણાવ્યું કે પિતાના નિધન બાદ બાદ જીવન “ટ્રેક” ઉપરથી ઉતરી ગયું હતું, પરંતુ તે ફરીથી સારી પ્રગતિ કરી શક્યો હતો. આ ઇન્ટરવ્યુમાં કપિલ શર્માએ પોતાના વ્યક્તિત્વનો એ ભાગ પણ ઉજાગર કર્યાે હતો, જ્યાં હાસ્યથી પણ આગળ વધી અર્થ અને લક્ષ્યથી કામ કરવા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.SS1MS
