કપડવંજ બજરંગ ગ્રુપ ધ્વારા હનુમાનજી મંદિરનું નવ નિર્માણ તથા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/02/IMG-20200225-WA0020-1024x683.jpg)
કપડવંજ શહેર માં આવેલા માતરીયા તળાવ ના કિનારે બજરંગ ગ્રુપ ધ્વારા હનુમાનજી મંદિર નું નવ નિર્માણ તથા પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી મૂર્તિ ના મુખ્ય યજમાન તથા દાતા ઈશ્વરભાઈ પૂંજાભાઈ પટેલ ના ઘરે થી શોભાયાત્રા નીકળી હતી બાદ માં બજરંગ ગ્રુપ ના કાર્યકર્તા ઓ ધ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી
રાજુભાઇ પટેલ ભાવીન જોશી જયેશ રબારી જય શર્મા ધનવંત પટેલ અને અન્ય કાર્યકર્તાઓ ધ્વારા હનુમાન દાદા ની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી બપોરના ઘ્વજા રોહણ વિધિ નિલેશ પંચાલ રાજુ છત્રીગરા વિરેન સોની તથા અન્ય કાર્યકર્તાઓ ધ્વારા કરવામાં આવી હતી પ્રાણપ્રતિષ્ઠા વિધિ વિધાન થી આંતરોલીવાળા ઉજાસભાઈ મહરાજ ધ્વારા કરવામાં આવી હતી