Western Times News

Gujarati News

યુપીમાં મજૂરી કરી આજીવિકા ચલાવનારાઓને કોરોનાની અસર ન થાય તે માટે વળતર ચૂકવાશે

લખનૌ: કોરોના વાયરસની દહેશત વચ્ચે દરરોજ મજુરી કરીને આજીવિકા ચલાવનાર લોકોને કોઇ અસર ન થાય તેની ખાતરી કરવાના હેતુસર ઉત્તરપ્રદેશની સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આર્થિક મંદીના પરિણામ સ્વરુપે દરરોજ મજુરી કરીને આજીવિકા ચલાવતા લોકોને કોઇ તકલીફ ન પડે તે માટે હવે ઉત્તરપ્રદેશ સરકારે વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં સ્કૂલો બીજી એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે. દેખાવો અને પ્રદર્શન ઉપર પ્રતિબંધ મુકી દેવાયા છે. ઉત્તરપ્રદેશ સરકારે આજે નાણાંકીય ટેકાની જે લોકોને જરૃર છે તે પ્રકારના લોકોને મદદરુપ થવા માટે ઉચ્ચ સ્તરીય કમિટિની રચના કરી દીધી છે. ઉત્તરપ્રદેશના નાણામંત્રીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની કમિટિ દ્વારા આમા તપાસ કરવામાં આવનાર છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ત્રણ દિવસની અંદર અહેવાલ રજૂ કરવા માટે તેમને કહેવામાં આવ્યું છે. આ કમિટિ કોરોના વાયરસ ફાટી નિકળ્યા બાદ ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરશે. ગરીબ લોકોની આજીવિકાને કોઇ અસર ન થાય તેની ખાતરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર આરટીજીએસ મારફતે લોકોને નાણા આપવા માટે તૈયાર છે. ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી શ્રીકાંત શર્માએ મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, યોગી આદિત્યનાથના નેતૃત્વમાં રાજ્ય કેબિનેટમાં આ મહ¥વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. સરકારે તમામ પ્રકારના દેખાવો અને વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી દીધો છે.

મુખ્યમંત્રીએ તમામ સ્કૂલો, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓને બીજી એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. સાથે સાથે તમામ ટયુરિસ્ટ સ્પોટ પણ બંધ કરી દેવાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસને લઇને જારી કરાયેલા ધારાધોરણ પાળવાની તૈયારી યુપી સરકારે દર્શાવી છે. તમામ સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ કરાયા છે. તાજ સિટીમાં પણ અનેક ધાર્મિક સ્થળો બંધ કરાયા છે. ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસના કુલ ૧૩ કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં આગરા, લખનૌ, નોઇડા, ગાઝિયાબાદમાં કેસો નોંધાયા છે. આ જગ્યાએ આઠ કેસો છે. આ ઉપરાંત નેપાળ સાથેની સરહદોને સીલ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.