Western Times News

Gujarati News

નેત્રામલી ખાતે  કોરોના વાયરસ સંક્રમણ સામે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

નેત્રામલી(સં.ન્યુ.સ):  વર્લ્ડ હેલ્થ ઓગૅનાઇઝેશન દ્વારા મહામારી જારી કરાયેલા કોરોના વાયરસ સંક્રમણ સામે સલામતી અને સાવચેતી માટે તાલુકા પંચાયત ઇડર(આયુર્વેદિક વિભાગ) દ્વારા નેત્રામલી ગ્રામપંચાયતમાં આયુર્વેદિક ઉકાળાનું ગ્રામજનોમાં વિતરણ કરવામાં આવ્યું. જેમાં ડો. ઉર્મિબેન પટેલ (પ્રતાપપુરા ), સરપંચ પદમાબેન પટેલ, તલાટી કમ મંત્રી ઇકબાલભાઈ મનસુરી, તાલુકા સદસ્ય કપિલાબેન વણકર હાજર રહ્યા હતા. નેત્રામલી, ગણેશપુરા, કૃષ્ણનગર, દેવગઢકંપા અને બોરીકંપા ગામના લોકોને મોટી સંખ્યામાં  ઉકાળાનું વિતરણ કરી સ્વછતા રાખી કોરોના વાયરસને ડામવાની ઝુંબેશ અંતર્ગત સફાઈ રાખવા પ્રજાજનોને જાગૃત કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.