Western Times News

Gujarati News

મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર 30 માર્ચ સુધી બંધ રહેશે

મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે આવેલા સિદ્ધિવિનાયક દેવસ્થાન એ હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે, ખાસ કરીને મંગળવાર અને રવિવારના દિવસે દર્શન કરવામાં ભીડ થતી હોય છે.  કોરોના વાયરસની આ મહામારી ખુબ જ તીવ્રતા થી ફેલાયી રહી છે અને જરૂરી કાળજી રાખવાની ખુબ જ જરૂર છે.

આવી વિકટ પરિસ્થિતિમાં   દર્શનાર્થીઓના સ્વાથ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને અગમચેતીના પગલાં લેવા અત્યંત જરૂરી છે. આથી ગુજરાત સરકારની એડવાઈઝરીને ગંભીરતાપૂર્વક લઈને આજે 21 માર્ચ, 2020 થી આગામી 30 માર્ચ, 2020 સુધી ભાવિક ભક્તોને દર્શનનો લાભ નહીં મળી શકે. ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ પુરોહિતએ જણાવ્યું કે, દર્શન બંધ રહેશે પરંતુ એ દરમિયાન, કોરોના વાયરસ સામે સમગ્ર માનવજાતિના કલ્યાણ થકી પ્રાર્થના તેમજ પૂજા, આરતી અને યજ્ઞ કરવામાં આવશે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.