Western Times News

Gujarati News

મેઘરજમાં આર્યુર્વેદિક શાખા ધ્વારા કોરોના વાયરસ પ્રતિરોધક  ઉકાળાનું વિતરણ.

અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરના જુના બસ સ્ટેન્ડ સામે આવેલ પવન ટ્રેડર્સના આગળ શુક્રવારના રોજ સવારથી નિયામકશ્રી આયુષ તથા જીલ્લા આયેર્વૈદ શાખા અરવલ્લી તેમજ શ્રી જૈન શ્વેતાંબર તેરા પંથ મેઘરજ ધ્વારા કોરોના વાયરસ પ્રતિરોધક આયુર્વેદ અમૃતપેય ઊકાળો અને હોમીયોપેથીક પ્રીવેન્ટીવ ડોઝનુ વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ
જેમાં વૈધ નિમેશભાઈ દેવમુરારી,વૈધ પિયુશભાઈ પટેલ અને હોમીયોપેથીક ર્ડો.હાર્દિક બ્રહ્મભટ્ટ,ફાર્મસીસ્ટ શૈલેન્દ્રસિંહ બાહોલા સહીતના કર્મીઓએ હાજર રહી સેવાઓ આપી હતી જેમાં નગર સહીત તાલુકાની આશરે ૫૦૦૦ જેટલા લોકોએ દિવસ દરમિયાન પ્રતિરોધક ઉકાળોનો લાભ લીધો હતો અને ૨૪૦૦ જેટલા લોકોને પ્રીવેન્ટીવ ડોઝનુ વિતરણ કરવામાં આવ્યૂ હતુ સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન અને આયોજક સંપતલાલ જૈન અને લાડુલાલ જૈન દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.