Western Times News

Gujarati News

જંબુસર ખાતે વાત્સલ્ય  ધ પ્લે સ્કૂલ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

ભરૂચ:જંબુસર મુરલીધર મંદિર પાસે વાત્સલ્ય પ્લે સ્કૂલ સંચાલકો દ્વારા કોરના વાયરસ સામે રક્ષણ આપવા ઉકાળા વિતરણ કરવામાં આવ્યું જેનો મોટી સંખ્યામાં  જનતાએ લાભ લીધો. જયારે આખું વિશ્વ ધીરે ધીરે કોરોના વાયરસની મહામારી માંથી પસાર થઈ રહ્યુ છે ત્યારે વિશ્વના તમામ લોકો અને સરકાર પણ આ મહામારી થી ખૂબ જ ચિંતિત છે

ત્યારે જંબુસર ખાતે કાર્યરત વાત્સલ્ય પ્લે સ્કૂલ સંચાલકો દ્વારા જંબુસર શહેર અને તાલુકાની જનતાને કોરોના વાયરસથી બચાવવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારતા મફત આયુર્વેદિક ઉકાળા વિતરણ છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહ્યુ છે.ઉકાળા વિતરણના પ્રથમ દિવસે ૫૦૦ ઉપરાંત વ્યક્તિઓએ લાભ લીધો હતો.આયુર્વેદિક ઉકાળા વિતરણ ૨૭/૩/૨૦૨૦ સુધી ચાલુ રહેશે તેમ જણાવ્યુ હતુ.આ સાથે વિતરણ સેન્ટર પર કોરોના વાયરસથી બચવા જનતાને સમજણ આપતા બેનર પણ લગાવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.