Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્રારા મંગળવારથી ‘‘ મનના પ્રશ્નોનું સમાધાન ’’ કાર્યક્રમનું ઓનલાઈન આયોજન.

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ના મહંત મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તા. ૧ર, ૧૪, અને ૧૬ મે ના રોજ મનના પ્રશ્નોનું સમાધાન નામના કાર્યક્રમનું આયોજન ઓનલાઈન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુ ટુયુબ ચેનલ ઉપર રોજ રાત્રે ૮-૧પ કલાકે દેશ વિદેશના અનેક ભકતો નિહાળી શકશે.

આ કાર્યક્રમમાં શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી હાલ લોકડાઉન ના સમયમાં પરિવારના સભ્યો વચ્ચે તથા તણાવના કારણો શું છે? અને તેના નિરાકરણનો ઉપાય શું? ભગવાન છે? તો આ કોરોના વાયરસરુપી મહામારીમાંથી સૌની રક્ષા કેમ કરતાં નથી ? માનવીના પોતાના સ્વભાવ અને દોષોના પ્રશ્નો,ધાર્મિક શ્રદ્ધા અને આસ્થાના પ્રશ્નો, આર્થિક સમસ્યામાંથી બહાર કેવી રીતે આવવું ? એવા અનેક પ્રશ્નોનું સમાધાન દેશ – વિદેશમાં વસતા સર્વે ભકતોને પ્રાપ્ત થાય એટલા માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુ ટુયુબ ચેનલ ઉપર રાત્રે ૮-૧પ માર્ગદર્શન આપશે.

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.