Western Times News

Gujarati News

ધનસુરા તાલુકાના 83 જેટલા શ્રમિકોને બિહાર જવા માટે મહેસાણા ખાતે મોકલવામાં આવ્યા 

રાજ્ય ભરમાંથી શ્રમિકોને પોતાના વતન માં મોકલવા ની કામગિરી ચાલી રહી છે.વિવિધ રાજ્ય ના શ્રમિકોને તંત્ર ધ્વારા તેમના વતન મોકલવાની કામગિરી કરવામાં આવી રહી છે ત્યારે ધનસુરા તાલુકાના 83 જેટલા શ્રમિકોને બિહાર જવા માટે મહેસાણા જવા બસો મોકલવામાં આવી હતી.આ શ્રમિકોને મહેસાણા થી ટ્રેન મારફતે બિહાર મોકલવામાં આવશે.કોરોનાને લઈને આ તમામ નું તકેદારી ના ભાગ રૂપે થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

83 શ્રમિકો વતન જવાથી ખુશ જણાતા હતા.આ અગાઉ પણ ધનસુરા થી 70 જેટલા શ્રમિકોને ઉત્તર પ્રદેશ જવા માટે બે બસો મારફતે પાલનપુર મોકલવામાં આવ્યા હતા. શ્રમિકોને વતન મોકલવાની કામગિરી વખતે ધનસુરા મામલતદાર, સી.જી ઝાલા,સર્કલ ઓફિસર વિક્રમભાઈ દેસાઈ,રેવન્યુ તલાટી પ્રણય પટેલ,મિતુલભાઈ ચૌધરી,સ્મિત પટેલ,પવન પંચાલ,હાજર રહ્યા હતા. (દિલીપ પુરોહિત. બાયડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.