Western Times News

Gujarati News

શ્રી રામ મંદિરના  નિર્માણ માટે  દેશના દરેક તીર્થ સ્થળોના જળ, માટી લઇ જવામાં આવેલ

શ્રી રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની  પરિસરની પવિત્ર માટી તેમજ હિરણ્ય-કપિલા- સરસ્વતી ત્રિવેણી સાગર સંગમનું જળ બન્ને ના અલગ અલગ કુંભો  બનાવી તેની પૂજારી શ્રી દ્વારા પૂજન કરી આજરોજ તા:18.06.2020 નારોજ  બપોરના 12:39 કલાકે  વિજય મુહુર્તમાં સોમનાથ જીલ્લાના વિશ્વ હિન્દુ પરિસદના અધ્યક્ષ શ્રી નરેશભાઇ પર્યાણીને અર્પણ કરવામાં આવેલ.

આ અંગે તમામ તીર્થ સ્થળોના પવિત્ર જળ તથા માટી એકત્ર કરી,  દરેક જીલ્લામાંથી શ્રીરામ મંદિર નિર્માણ માટે મોકલવાના હોય પ્રથમ  જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ના પણ અલગ-અલગ બન્ને કુંભો પવિત્ર જળ તથા માટીની પૂજાવિધિ સંપન્ન કરી મોકલવામાં આવેલ છે.

જનરલ મેનેજરશ્રી શ્રી સોમનાથ ટ્રસ્ટ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.