Western Times News

Gujarati News

તા. પ જુલાઈએ કુમકુમ મંદિર ખાતે ઓનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

કોરોના વાયરસનો ચેપ કોઈને ન લાગે તેવી ભગવાન કૃપા કરે તે માટે પ્રાર્થના કરવામાં આવશે.

તા. પ જુલાઈ ને રવિવાર ગુરુપૂર્ણિમાના રોજ શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાદરી મુકામે સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ સુધી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુકતજીવન સ્વામીબાપા તથા ગુરુપરંપરાના સદ્‌ગુરુઓની ષોડ્‌શોપચારથી પૂજા કરીને, પંચામૃત અને કેસરજળથી અભિષેક કરવામાં આવશે.તથા જનમંગલના પાઠ કરવામાં આવશે. ત્યારબાદ ગુરુનું જીવનમાં શું મહત્વ છે એ ઉપર સંતો પ્રવચન આપશે.અંતમાં મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે.


કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,કોરોના વાયરસના કારણે ઓન લાઈન સત્સંગ યોજાશે. જેનો દેશ અને વિદેશના ભકતો મોટી સંખ્યામાં લાભ લેશે.આ ગુરુપૂર્ણિમાના પ્રસંગે કોરનો વાયરસનો ચેપ કોઈને ન લાગે તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવશે.

ગુરુપૂર્ણિમા પૂર્વે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીના પ્રવચનનો વિડીયો સૌને મોકલવામાં આવેશ જેથી જીવનમાં ગુરુનું શું મહત્વ છે તે જાણી શકાય.

ગુરુનું જીવનમાં શું મહત્વ છે. તે અંગે જણાવતા કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમા એ ગુરુ શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે. ગુરુના આપણા ઉપરના મહાન ઉપકારોના ઋણ અંગે માત્ર “ઋણ સ્વીકાર” અને “ઋણ સ્મરણ” જ થઈ શકે. આવા “ઋણ સ્વીકાર” અને “ઋણ સ્મરણ” નું મંગળ પર્વ એટલે ગુરુપૂર્ણિમા.

ગુરુપૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે આભાર અભિવ્યક્ત કરવાનો સોનેરી દિવસ. ગુરુ પાસેથી આપણે જે પામ્યા તેમાંથી યત્‌કિંચિત્‌ ગુરુ ચરણોમાં સમર્પિત કરવાનો દિવસ.ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાં પણ કહેવાય છે.

‘ગુ’ કહેતાં અંધકાર એ ‘રુ’ કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે.
ગુરુ જ વ્યક્તિના જીવન ઘડતરની મુખ્ય ભૂમિકા ભજવે છે. એક શિલ્પી પથ્થરમાંથી ટાંકણે- ટાંકણે શિલ્પને નિપજાવે છે. તેમ ગુરુ આપણા ચારિત્ર્યનું ઘડતર કરે છે. ગુરુની અમી ભરી દૃષ્ટિથી આપણી મલીનતા દૂર થઈ જાય છે. અજ્ઞાન અંધકારનો, આસક્તિનાં ભરમારનો વિનાશ કરનારા અને ગુણોના ગૌરવનો વિકાસ કરનારા ગુરુ જ છે.

આપણે ગુરુની આજ્ઞામાં કેવી રીતે વર્તવુ જાઈએ તે માટે આપણા જીવનમાં એકલવ્ય ભીલકુમાર, દાનેશ્વરી કર્ણ, હરિચંદ્ર રાજા, દાદાખાચર આદિ ભકતોના જીવન પ્રકાશના પૂંજ પાથરે છે. તેમની ગુરુ વિશેની નિષ્ઠા, ગુરુ અને ભગવાનના વચનમાં તન, મન અને ધન સમર્પિત કરવાની ધગશ આપણને પ્રેરણા આપે છે. આપણે સહુ કોઈએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને ગુરુ અને ભગવાનની આજ્ઞા પાળવામાં તત્પર થવું જાઈએ.

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.