Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશ: લખનઉ-આગરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, 5ના મોત

લખનઉં: ઉત્તર પ્રદેશના કન્નોજમાં લખનઉ-આગરા એક્સપ્રેસ વે પર રવિવારે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં કેટલાક લોકોને નજીવી ઈજા થઈ છે. બસમાં લગભગ 40થી 50 લોકો સવાર હતા. હાલ ઈજાગ્રસ્તોને કન્નોજના મેડિકલ કોલેજ અને ઇટાવાના સૈફઈમાં દાખલ કરાવવામાં આવ્યા છે. આ બસ બિહારથી કામદારોને દિલ્હી લઈ જઈ રહી હતી.

કામદાર અને પ્રવાસી શ્રમિકોને લઈને બિહારના મધુબનીથી એક સ્લીપર બસ દિલ્હી જઈ રહી હતી. બસ એક્સપ્રેસ વેથી થઈને કન્નોજના સૌરિખ નજીક લક્ઝરી કાર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માત બાદ બસ અને કાર બંને નજીકના ખાડામાં ખાબકી હતી.

અકસ્માત બાદ બસમાં સવાર લોકો ચીસો પાડવા લાગ્યા. આવાજ સાંભળી મોટી સંખ્યામાં સ્થાનિકો પહોંચી ગયા હતા. સૌરિખ પોલીસ સ્ટેશનની ટીમ અને એક્સપ્રેસ વેની પેટ્રોલિંગ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં કન્નોજની મેડિકલ કોલેજ અને ઇટાવાના સૈફઈના હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.