Western Times News

Gujarati News

કોરોનાનાં નકલી ઈન્જેક્શન કૌભાંડમાં ડ્રગ ઈન્સ્પેક્ટરે વસ્ત્રાપુરમાં ફરીયાદ નોંધાવી

પ્રતિકાત્મક

સુરતનાં ૧ તથા અમદાવાદનાં ૪ સહિત ૫ શખ્સો વિરૂદ્ધ તપાસ શરૂ

અમદાવાદ, કોરોનાન બિમારીનાં ઈન્જેક્શન અંગેનું કૌભાંડ સુરત-અમદાવાદથી ફરી પાછું સુરત સુધી પહોંચ્યુ છે. અમદાવાદનાં ડોક્ટરની સતર્કતાને કારણે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયા બાદ સ્ટીરોઈડનાં ઈન્જેક્શન અંગેનું પણ કૌભાંડ બહાર આવ્યું છે. આ ઘટનાની તપાસ દરમિયાન ડ્રગ ઈન્સ્પેક્ટરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે. દર્દીની સારવાર કરતાં ડોક્ટરનાં દવાને નકલી દવા આવ્યા બાદ તપાસ ડ્રગ ઈન્સ્પેક્ટર તપન ચૂડાસમાને સોંપવામાં આવતાં તેમણે ગણતરીનાં દિવસોમાં જ ટોલીસીઝૂમેબનાં નામે અન્ય કોઈ દવા જ આપી દેનાર (૧) આશિષ દિનેશ શાહ (સાબરમતી) (૨) અક્ષય શાહ (સુભાષ બ્રિજ) (૩) હર્ષ ભરત ઠાકોર (ચાંદખેડા) (૪) નિલેશ ચંદ્રકાંત લાલીવાળા (પાલડીવાળા)(૫) સોહેલ તાઈ (રાંદેર, સુરત)ની સંડોવણી હોવાનું શોધ્યું હતું. તમામની પૂછપરછ કરતાં કોરોનાની બિમારીને પગલે નફો મેળવવા અન્ય દવાનાં ખોખા પરથી નામ તથા અન્ય વિગતો ભૂંસી ટોસીલીઝુમેબનાં સ્ટીકરો લગાવ્યા હતા. પરંતુ તેની અન્ય કોઈ વિગતો આપી ન હતી. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યું છે. જેમાં વધુ કેટલાંક નામ ખુલવાની સંભાવનાં છે. આ સમગ્ર કૌભાંડના પગલે રાજયભરમાં ભારે ઉહાપોહ મચી ગયો છે અને રાજયવ્યાપી તપાસ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.