Western Times News

Gujarati News

તમિલનાડૂ રાજભવનના 84 કર્મચારીઓ કોરોનાગ્રસ્તઃ 147ના ટેસ્ટ કરાયા

તમિલનાડૂ, તમિલનાડૂના રાજભવનમાં કોરોના વાયરસના પગરણ મંડાઈ ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, રાજભવનમાં 84 કર્મચારીઓમાં કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાંથી સુરક્ષાકર્મી અને ફાયર વિભાગના જવાનો પણ સામેલ છે. રાજધાની ચેન્નઈ સ્થિત કાર્યાલયમાંથી આ વિગતો મળી છે. હાલ રાજભવનની સાફ સફાઈ અને સેનેટાઈઝેશનનું કામ કરવામાં આવી રહ્યુ છે. રાહતની વાત એ છે કે, આ તમામ સંક્રમિત લોકોમાંથી કોઈ પણ રાજ્યપાલ કે વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં આવ્યા નથી. સંક્રમિત લોકોને સ્વાસ્થ્ય વિભાગ તરફથી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. કહેવાય છે કે, રાજભવનમાં 147 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 84 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.