Western Times News

Gujarati News

તાંત્રિકના કહેવા પર પિતાએ પોતાના જ પાંચ સંતાનોને મારી નાખ્યા, ત્રણ દિકરીઓના ગળા દબાવી દીધા

હરિયાણા, તાંત્રિકના કહેવા પર એક શખ્સો પોતાના સગા પાંચ સંતાનોને મારી નાખ્યા. આ મામલાનો ખુલાસો થતાં પિતાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલો હરિયાણા જિંદ જિલ્લાના ગામ ડિડવાડાનો છે. બે બાળકીઓના હત્યાના મામલા બાદ આ સનસનીખેજ ખુલાસો થયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, 16 જૂલાઈના રોજ ડિડવાડા ગામના રહેવાસી જુમ્માએ પોલીસને ફરિયાદ આપી કે, તેની સાત વર્ષની દિકરી નિશા તથા 11 વર્ષિય બેી મુસ્કાન ગાયબ છે. ત્યાર બાદ પોલીસે નિશાનો મૃત્યદેહ ગામની નજીકથી મળ્યો હતો. જ્યારે બીજી દિકરી મુસ્કાનનો મૃતદેહ પણ નજીકની નહેરમાંથી મળ્યો હતો. તેમ છતાં પોલીસનો શક તો જુમ્મા પર બનેલો હતો. રવિવાર રાતે રાતે પોલીસે જુમ્માની ધરપકડ કરી અને તેની સાથે પુછપરછ કરી.

રવિવારે રાતે જ જુમ્માએ ગામના સરપંચ અને અન્ય લોકોની હાજરીમાં પોતાનો ગુનો કબૂલ્યો હતો. જો કે, પોલીસને હજૂ પણ આ કેસ કેટલાય અસંમજશ થઈ રહ્યુ છે. જુમ્માએ સ્વિકાર્યુ હતું કે, આ અગાઉ પણ તેને પોતાના ત્રણ સંતાનો મારી નાખ્યા છે. પહેલા બંને દિકરીને નશીલા પદાર્થ ખવડાવી બેભાન કરી નાખી, ત્યાર બાદ નહેરમાં ફેંકી દીધી હતી. પોસ્ટમોર્ટમાં તે ખુલાસો થયો છે કે, તેમના મોત ડૂબવાના કારણે થયા છે. આ અગાઉ પણ તેણે બે દિકરીઓના ગળા દબાવીને મારી નાખી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.