Western Times News

Gujarati News

બુધવારે કુમકુમ મંદિર દ્વારા ભગવાનને હિંડોળા માંથી ઉતારવામાં આવશે

હવે ભગવાનના હિંડોળા દર્શન આવતા વર્ષે એટલે કે અગિયાર મહિના પછી થશે અષાઢ વદ બીજથી સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હિંડોળા નો પ્રારંભ થયો હતો અને જેની પુર્ણાહુતી શ્રાવણ વદ બીજના રોજ કરવામાં આવશે

હિંડોળા અંગેની માહિતી આપતાં કુમકુમ મંદિર ના સાધુ પ્રેમ વત્સલ દાસજી જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ના મહંત સદગુરુ શાસ્ત્રી આનંદ આનંદ પ્રિયદાસજીસ્વામીની નિશ્રામાં ભગવાનના હિંડોળા શણગારી અને તેમાં બિરાજમાન કરવામાં આવતા હતા

હાલ કોરોનાવાયરસ ચાલી રહ્યો હોવાથી મંદિરમાં ભક્તોને દર્શન માટે આવી શકતા ન હતા શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ youtube ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવતું હતું  જેના કારણે દેશ વિદેશના ભક્તો પણ હિંડોળા દર્શનનો લાભ લઈ શકતા હતા


રક્ષાબંધનના દિવસે નાદરી ગામ ખાતે શ્રી હરિકૃષ્ણ મહારાજ ને વિવિધ ફૂટના હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સૌ કોઈની શ્રી સ્વામિનારાયણ ભગવાન કોરોનાવાયરસ થકી રક્ષા કરે માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને અંતમાં સદગુરુ શાસ્ત્રી આનંદ સ્વામી એ સૌને આશિર્વચન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.