Western Times News

Gujarati News

સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં N.S.S અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ’ યોજાયો

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ  એજ્યુકેશન, બાકરોલમાં તા:- ૦૫/0૮/૨૦૨૦ને બૂધવારના ના રોજ એન.એસ.એસ અંતર્ગત ‘વૃક્ષારોપણ કાર્યક્રમ’નું’ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્યશ્રી ડો. દિપ્તીબેન ત્રિવેદી તેમજ એન.એસ.એસ ના કો-ઓર્ડિનેટર પ્રા.ફાલ્ગુની બેન વાઘેલા તેમજ કેમ્પસ કો-ઓર્ડિનેટર પ્રા આરતીબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેનશ્રી ગીરીશભાઈ પટેલ અને સેક્રેટરીશ્રી શીતલભાઈ પટેલ તથા કેમ્પસ ડેવલોપમેન્ટ ડો .સ્વપ્નિલ પટેલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં  હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી તાલીમાર્થીઓએ પોતાના ઘરની જ આજુબાજુ વિવિધ વૃક્ષો અને છોડ જેવા કે લીમડો, ગુલ્મહોર, આસોપાલવ  અને , આંબાનું રોપણ કરવામાં આવ્યું  હતું.  સંસ્થાના અધ્યાપકોએ  કોલેજમાં  વિવિધ છોડોનું રોપણ કર્યું હતું આમ,ઉત્સાહ પૂર્વક આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.