Western Times News

Gujarati News

અનલૉક -4 : મેટ્રો શરૂ થઈ શકે, સ્કૂલ-કૉલેજ બંધ રહેશે

નવી દિલ્હી : ગૃહ મંત્રાલયના સૂત્રોના હવાલાથી જાણકારી મળી છે કે અનલૉક-4 માં પણ સ્કૂલ અને કોલેજ બંધ રહી શકે છે. અનલૉક-4ની શરૂઆત સપ્ટેમ્બરમાં થઈ શકે છે. અલગ-અલગ પરીક્ષાઓને મળેલી મંજૂરી પછી એવી અટકળો કરવામાં આવી રહી હતી કે અનલૉક-4માં સ્કૂલ-કોલેજ સહિત બધા શિક્ષણ સંસ્થાન વગેરે ખોલવામાં આવી શકે છે. જોકે સૂત્રોના હવાલાથી એવી માહિતી મળી છે કે અનલૉકના આ ચરણમાં પણ સ્કૂલ-કોલેજોને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. આ સાથે આ ચરણમાં પણ કન્ટેનમેઇન્ટ ઝોનમાં સખત પ્રતિબંધ યથાવત્ રહેશે. આ ચરણમાં મેટ્રો સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી શકે છે. અનલૉક-4ને લઈને ગૃહ મંત્રાલય જલ્દી વિસ્તૃત દિશાનિર્દેશ જાહેર કરી શકે છે.

તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટથી શરૂ થયેલા અનલૉકના ત્રીજા ચરણમાં જિમ અને યોગ સંસ્થાન ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય કન્ટેનમેઇન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લૉકડાઉન લગાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. અનલૉકના ત્રીજા ચરણમાં નાઇટ કર્ફ્યુ પણ હટાવી લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.