Western Times News

Gujarati News

રાયગઢ દુર્ઘટના : 20 કલાક બાદ કાટમાળમાંથી 4 વર્ષનું બાળક સુરક્ષિત નીકળ્યું: મૃત્યુઆંક 9 થયો

રાયગઢ, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સોમવારે એક પાંચ માળની ઇમારત ધરાશયી થઇ હતી. સોમવાર સાંજથી જ કાટમાળની અંદર ફાસયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ બચાવ કાર્ય દરમિયાન એનડીઆરએફની એક ટીમે એક 4 વર્ષના બાળકને 20 કલાક બાદ કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો છે. સોમવારે સાંજે લગભગ સાત વાગ્યા આપસાપ આ દુર્ઘટના ઘટી હતી.. ત્યારબાદથી જ બચાવકાર્ય શરુ છે.

જે ચાર વર્ષના બાળકને બહાર કાઢવામાં આવ્યું છે તેનું સ્વાસ્થ્ય એકદમ બરાબર છે. એનડીઆરએફના કર્મીઓએ જણાવ્યું કે તેઓ જ્યારે કાટમાળ ખસેડતા હતા, ત્યારે તેમની નજર આ બાળક પર પડી, જે એક ખુણામાં બેઠો હતો. ત્યારબાદ આસપાસનો કાટમાળ દૂર કરીને આ બાળકને બહાર કાઢવામાં આવ્યું. બાળકને બહાર કાઢ્યા બાદ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યું છે.

આ દુર્ઘટનામાં મૃત્યુઆંક નવ પર પહોંચ્યો છે. આ સિવાય હજુ પણ કેટલાક લોકો કાટમાળની અંદર ફસાયેલા છે. જેમને બચાવવાનું કામ શરુ છે. હજુ પણ 20 જેટલા લોકો કાટમાળમાં હોવાનું અનુમાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.