Western Times News

Gujarati News

ગુરુકુલ વિશ્વવિદ્યાલય (SGVP)ની મુલાકાત લેતા નવનિયુક્ત રાજ્યપાલ

ગુજરાત રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાલય અમદાવાદની મુલાકાત લીધી હતી. ગુરુકુળમા તેમનું વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલશ્રી ગૌ શાળા, અશ્વશાળા, દર્શનમ્ સંસ્કૃતમહાવિધ્યાલય  – સંસ્કૃત પાઠશાળા, શ્રી જોગી સ્વામી  SGVP હોલિસ્ટીક હોસ્પિટલ, પ્રાર્થના સભાની મુલાકાત લઈને અત્યંત પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત રાજ્યપાલ શ્રી એ ગુરુકુળ સ્થિત મંદિરમાં સાંધ્ય આરતી પણ કરી હતી. ગુરુકુળ સંસ્થાના માધવપ્રિયદાસજી સ્વામીજીએ ગુરુકુળની પ્રવૃતિ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને રાજ્યપાલશ્રીએ ગુરુકુળની વિવિધ પ્રવૃતિઓ વિશે જાણવામાં રસ દાખવ્યો હતો. સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો સાથે સંસ્કૃતમાં સંવાદ સાધ્યો હતો.

રાજયપાલની ગુરુકુળની મુલાકાત દરમિયાન સંતો-મહંતો અને ગુરુકુળના ઋષિકુમારો  ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.