Western Times News

Gujarati News

૧૫ લાખ ઉમેદવારો આજે NEET‌ની પરીક્ષા આપશે

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટેની પહેરવેશ સહિતની માર્ગદર્શિકા બહાર પડાઈ

નવી દિલ્હી, એનઈઈટી યુજી પ્રવેશ પરીક્ષા આવતીકાલે એટલે કે ૧૩ સપ્ટેમ્બરના રોજ દેશભરમાં લેવામાં આવશે. આ પરીક્ષામાં ૧૫ લાખ ઉમેદવારો ભાગ લેવાના છે. કોરોના આ સમયગાળામાં આ પરીક્ષા માટે ઉમેદવારોની સલામતી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંદર્ભમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં પરીક્ષા લેવા માટે સુધારેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી (એસઓપી) જારી કરી છે. આ એસ.ઓ.પી. અંતર્ગત પરીક્ષા લેવામાં આવશે. નીટ૨૦૦ માટે સરકારે બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર વિદ્યાર્થીઓને માસ્ક પહેરવાની જરૂર રહેશે. આ સિવાય તે ગ્લોવ્સ અને ફેસ શિલ્ડ પણ પહેરી શકે છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

વિદ્યાર્થીઓએ પાણીની બોટલ અને સેનિટાઇઝર લાવવું પડશે. ઉમેદવારોને હવામાન પ્રમાણે હલકા રંગના કપડાં પહેરવાની છૂટ છે. જીન્સ, સલવાર શૂટ, કુર્તા, લાંબા સ્કર્ટ, ટ્રાઉઝર, ટી-શર્ટ, શર્ટ એ બધું પહેરવાની ઉમેદવારોને મંજૂરી છે. ફુલ સ્લીવ શર્ટ, મોટા બટનવાળા કપડા પહેરી શકશે નહીં. આ સિવાય કોઈપણ ઉમેદવાર બૂટ નહીં પહેરી શકે, ઉમેદવારોએ પરીક્ષામાં ખુલ્લા પગે સેન્ડલ અથવા ચંપલ પહેરવા પડશે. પરીક્ષામાં ઘરેણાં પહેરવાની મંજૂરી નથી. ધાર્મિક રિવાજ હેઠળ, ઉમેદવારોને ફક્ત થોડા ઘરેણાં પહેરવાની મંજૂરી મળી શકે છે. આ માટે ઉમેદવારોએ ચેકિંગ માટે વહેલા સેન્ટર પર પહોંચવું પડશે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ઘડિયાળ, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક ગેજેટ, ભૂમિતિ અથવા પેન્સિલ બોક્સ, કોઈપણ પ્રકારના કાગળ, સ્ટેશનરી, મોબાઇલ ફોન, માઇક્રોફોન, પેજર, કેલ્ક્યુલેટર, લોગ ટેબલ, કેમેરા, ટેપ રેકોર્ડર, ઇલેક્ટ્રોનિક ઘડિયાળ પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.