Western Times News

Gujarati News

મુંબઈને PoK કહેનારી પર અક્ષય કુમાર કેમ ચુપ?

શિવસેનાએ બોલીવુડના મૌન ઉપર કેટલાક સવાલ ઉઠાવ્યા દુનિયાભરના અમીરોના ઘર મુંબઈમાં છે, જ્યારે અપમાન થાય છે તો બધા ગર્દન નમાવી બેસી જાય છેઃસંજય રાઉત
મુંબઈ, સામના દ્વારા રોજ શિવસેના દ્વારા કંગના રનૌતને નિશાન બનાવવામાં આવી રહી છે. ફરી એકવાર સામનામાં કંગના પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે. સંજય રાઉતના લેખમાં કંગનાને નટી (અભિનેત્રી) બનાવવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે મુંબઈના મહત્વને ઓછું કરવાનો યોજનાબદ્ધ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુંબઈની સતત બદનામી એ ષડ્યંત્રનો ભાગ છે. મુંબઈને પાકિસ્તાન કહેનારી એક નટીની પાછળ કોણ છે?

આ સિવાય સંજય રાઉતે અન્ય ફિલ્મી કલાકારોને કંગના સામે ના બોલવા અંગે પણ ખરું-ખોટું સંભળાવ્યું છે. સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને ગ્રહણ લગાવવાનો પ્રયાસ ફરી એકવાર શરુ થયો છે. આ ગ્રહણ બહારના (કંગના) લોકો લાગી રહ્યા છે. પરંતુ તેમને મજબૂત બનાવવા માટે પરંપરા અનુસાર આપણા જ ઘરમાં ભેદી આગ લગાવી રહ્યા છે. મુંબઈનું અપમાન કરનારી નટી (કગનાને ઉલ્લેખીને)ના ગેરકાયદેસર નિર્માણ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાયા બાદ મનપાનો ઉલ્લેખ “બાબર” તરીકે કરાયો.

શિવસેનાના પ્રવક્તાએ કહ્યું કે નટી મુંબઈમાં બેસીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પ્રત્યે તૂ-તારી ભાષા બોલે છે. પડકાર આપવાની વાત કરે છે. આ કેવી એક તરફી આઝાદી છે? તેના ગેરકાયદેસર નિર્માણ પર હથોડા ચાલ્યા, તો એ મારું મંદિર હતું, એવું નાટક શરુ કર્યું. મુંબઈને પાકિસ્તાન કહેવું અને તે જ “પાકિસ્તાન”માં સ્થિત ગેરકાયદેસર નિર્માણ પર સર્જિકલ સ્ટ્રાઈકની છાતી પીટવી, આ કેવો ખેલ છે? સામનામાં લખાયું છે કે સંપૂર્ણ નહીં,

પરંતુ ઓછામાં ઓછા અડધા ફિલ્મ જગતે તો મુંબઈના અપમાનના વિરોધમાં આગળ આવવું જોઈતું હતું. કંગનાનો પત આખા ફિલ્મ જગતનો મત નથી, એવું કરવા જેવું હતું. અક્ષય કુમાર જેવા મોટા નેતાઓએ તો સામે આવવું જોઈતું હતું. મુંબઈએ તેમને પણ ઘણું આપ્યું છે. મુંબઈએ બધાને આપ્યું છે, પરંતુ મુંબઈના સંદર્ભમાં આભાર વ્યક્ત કરવામાં કેમ ઘણાંને તકલીફ થાય છે?

રાઉતે લખ્યું છે કે દુનિયાભરના અમીરોના ઘર મુંબઈમાં છે. મુંબઈનું જ્યારે અપમાન થાય છે તો બધા ગર્દન નમાવીને બેસી જાય છે. મુંબઈનું મહત્વ માત્ર પૈસા કમાવવા માટે નથી. આ બધાએ એ વાત યાદ રાખવી જોઈએ કે “ઠાકરે”ના હાથમાં મહારાષ્ટ્રની કમાન છે. મુંબઈ દેશનું હોય કે દુનિયાનું પણ તેના પર પહેલો હક મહારાષ્ટ્રનો છે.

જ્યારે જ્યારે મુંબઈને દબાવવામાં આવ્યું ત્યારે-ત્યારે મહારાષ્ટ્રે પ્રતિકાર કર્યો. આમાં કશું ખોટું થાય છે તો વડાપ્રધાન મોદીએ જ જણાવવું જોઈએ. મુંબઈને પહેલા પાકિસ્તાન પછી બાબર કહેનારા લોકોની પાછળ મહારાષ્ટ્રી ભાજપની પાર્ટી ઉભી છે, આ દુર્ભાગ્ય જ કહેવાય. મુંબઈના વિરોધમાં ૬૦-૬૫ વર્ષ પહેલા કોંગ્રેસના કેટલાક નેતાઓએ યોજનાબદ્ધ રીતે ષડ્યંત્ર રહ્યું હતું. એ ષડ્યંત્રકારોની છાતી પર પગ મૂકીને ભૂમિપુત્રોએ સંયુક્ત મહારાષ્ટ્રમાં ભગવો ઝંડો લહેરાવ્યો હતો. હવે તો કોઈ પણ ઉઠે છે અને મુંબઈ પર કિચડ ઉછાડે છે, હવે તો તેના પર રોક લાગવી જોઈએ.

દિલ્હી અથવા મહારાષ્ટ્રમાં સરકારે કોઈને પણ કોઈ અજ્ઞાત શક્તિ આપણા મુંબઈના વિરોધમાં યોજનાબદ્ધ રીતે ષડ્યંત્ર કરતા રહે છે, પરંતુ સંયુક્ત મહારાષ્ટ્ર માટે જેલના દરવાજા પર લાઈન લગાવનારા “વીર” આજે કુંઠીત થઈ ગયા છે? ભૂમિપુત્રો તથા મરાઠી સ્વાભિમાનને યોજનાબદ્ધ રીતે દમન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના લોહીથી મરાઠી કોશિકાઓને ખતમ કરવાનું ષડ્યંત્ર થઈ રહ્યું છે.

મુંબઈને પાકિસ્તાન કહેનારા પાછળ મહારાષ્ટ્રના પ્રમુખ વિરોધી પક્ષ ઉભો છે, આ અજીબ છે. પરંતુ સુશાંત અને કંગનાને સમર્થન આપીને તેમને બિહારની ચૂંટણી જીતવી છે. બિહારના ઉચ્ચ વર્ગીય રાજપૂત, ક્ષત્રિય મતને મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેના માટે મહારાષ્ટ્રનું અપમાન થાય તો પણ ચાલશે. આ નીતિને ‘રાષ્ટ્રીય’ કહેનારાને શોભા નથી આપતું. મહારાષ્ટ્રનું અપમાન કર્યું તેના વિરોધમાં એક પણ મરાઠી કેન્દ્રીય મંત્રીને ખોટું નથી લાગ્યું. તેના પર ગુસ્સે થઈને રાજીનામુ વગેરેની વાત જ છોડો.
(અનુસંધાન નીચેના પાને)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.