Western Times News

Gujarati News

કોરોના રિકવરી રેટ વધી ૮૦ ટકા થયો: ભારત અમેરિકાથી આગળ

૨૪ કલાકમાં ૯૫,૮૮૦ લોકો ચેપ મુક્ત થયા છે, જ્યારે ૧,૨૪૭ ચેપગ્રસ્ત લોકોનાં મોત થયા: સારવારની દિશામાં ભારત સતત આગળ વધી રહ્યું છે

નવી દિલ્હી, ભારતમાં ખૂબ જ ઝડપી કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. જો કે, રિકવરી મામલે પણ ભારતે હવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે, કોવિડ -૧૯ દર્દીઓની રિકવરીની દ્રષ્ટિએ ઔતિહાસિક વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરીને ભારતે યુએસને પાછળ છોડી દીધું છે અને આ મામલામાં ટોચનું સ્થાન મેળવ્યું છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં ૪૨,૦૮,૪૩૧ કોવિડ -૧૯ દર્દીઓ સ્વસ્થ બન્યા છે, જે વિશ્વના તમામ દેશોમાં ચેપ મુક્ત દર્દીઓમાં સૌથી વધુ સંખ્યા છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર આશરે ૮૦ ટકા જેટલો થઈ ગયો છે, જ્યારે કોરોનાથી મૃત્યુ દર ઘટીને ૧.૬૧ ટકા થઈ ગયો છે. મંત્રાલયે કહ્યું, ‘ભારતમાં હવે વિશ્વવ્યાપી કોરોના વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યામાં આશરે ૧૯ ટકા લોકો છે. જેનાથી રાષ્ટ્રીય દર મજબૂતી સાથે સુધારા સાથે ૭૯.૨૮ ટકા થયો છે.’ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના નેતૃત્વ હેઠળ આક્રમક સ્ક્રિનિંગ દ્વારા દર્દીઓની ઝડપથી ઓળખ કરવા માટે કેન્દ્રિત, વ્યવસ્થિત અને અસરકારક પગલાં, ઝડપી દેખરેખ અને ધોરણસરની ઉચ્ચ ગુણવત્તા ક્લિનિકલ કેરને કારણે આ વૈશ્વિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

મંત્રાલયે શનિવારે સવારે આઠ વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં ૨૪ કલાકના સમયગાળામાં ૯૫,૮૮૦ લોકો ના કોવિડ -૧૯થી સ્વસ્થ થયા છે અને ૯૦ ટકા કેસ ૧૫ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાંથી આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે રિકવરી પામેલા દર્દીઓમાં આશરે ૬૦ ટકા મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ કોરોનાના કેસ પણ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં, એક દિવસમાં ૨૨ હજારથી વધુ લોકો (૨૩ ટકા) સ્વસ્થ થયા છે, જ્યારે આંધ્રપ્રદેશમાં ૧૧,૦૦૦ (૧૨.૩ ટકા) કોરોના મુક્ત થયા છે. મંત્રાલયે કહ્યું, ‘ભારત મોટી સંખ્યામાં દર્દીઓના ઉપચારની દિશામાં સતત આગળ વધી રહ્યું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિશેષ કેન્દ્રિત વ્યૂહરચના સાથે સંયુક્ત પ્રયત્નોનું આ પરિણામ છે.

મંત્રાલય અનુસાર, દેશમાં રીમડેસિવીર, પ્લાઝ્‌મા થેરેપી અને ટોસિલીઝુમૈબ જેવી સંશોધન આધારિત પદ્ધતિઓના તર્કસંગત ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી અને અન્ય પદ્ધતિઓ પણ અપનાવવામાં આવી હતી. કેન્દ્ર સરકાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવતી સહાયની નિયમિત સમીક્ષા કરી રહી છે. તે હોસ્પિટલો અને અન્ય આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજનની ઉપલબ્ધતા પર પણ સતત નજર રાખે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે આઠ વાગ્યાથી મળેલી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૯૫,૮૮૦ લોકો ચેપ મુક્ત થયા છે. આ જ સમયગાળા દરમિયાન દેશમાં કોવિડ -૧૯ ના કુલ ૫૩,૦૮,૦૧૪ કેસ સાથે કોરોના વાયરસના ચેપના ૯૩,૩૩૭ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૪૭ ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે, જેની સાથે મૃત્યુઆંક ૮૫,૬૧૯ પર પહોંચી ગયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.