Western Times News

Gujarati News

‘રામ મંદિરનો યશ મોદીજીને નહીં, રાજીવ ગાંધીને આપો’ : સુબ્રહ્મણ્યમ સ્વામી

નવી દિલ્હી,  ભાજપના વિવાદાસ્પદ સાંસદ ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું હતું કે રામ મંદિરનો યશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નહીં, કોંગ્રેસના વડા પ્રધાન રાજીવ ગાંધીને આપવો જોઇએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિષયમાં કશું પ્રદાન કર્યું નથી. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વામીએ કહ્યું કે સરકારના વડા તરીકે રામ મંદિરના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કશું કર્યું હોવાનું મારા ધ્યાનમાં નથી.

‘રામ મંદિરની તમામ ચર્ચા અમે બધાએ કરી. સરકાર તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કશું કર્યું નથી. હા, જેમણે રામ મંદિર માટે કશું કર્યુ એમનું નામ હું પહેલાં આપી ચૂક્યો છું. કોંગ્રેસના વડા પ્રધાન રાજીવ ગાંધીએ રામ મંદિર માટે કંઇક કર્યું હતું’ એમ સ્વામીએ કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.