Western Times News

Gujarati News

બાબરી મસ્જિદ મામલે CBI કોર્ટના ચુકાદાને આવકારતાં વિજયભાઈ રૂપાણી

આજે CBIની વિશેષ અદાલતે ચુકાદો આપતા બાબરી વિવાદીત ઈમારત તોડી પાડવાના કેસમાં કોંગ્રેસ સરકારે તે સમયે રાજકીય પૂર્વગ્રહ રાખીને ખોટા આરોપો મૂકીને સંતો-મહંતો, વિશ્વ હિન્દુ પરિષદ અને રાજકીય નેતાઓના નામ સામેલ કર્યા હતા. આ તમામ લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ CBIની વિશેષ અદાલતના આ ચુકાદાને આવકારતાં જણાવ્યું કે, સત્યનો જ વિજય થતો હોય છે. સમગ્ર દેશની ધર્મ અને રાષ્ટ્રપ્રેમી જનતા એ આ ચુકાદાને આવકારે છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ચુકાદામાં વિલંબ થયો પણ અંતે સત્યનો વિજય થયો છે. કોર્ટે આ કેસમાં સામેલ હતા જ નહીં તેવા સંતો, મહંતો, ધર્મ અને રાષ્ટ્રપ્રેમી નેતાઓ સહિતના આગેવાનો, નાગરિકોને નિર્દોષ જાહેર કર્યા છે. જે ચુકાદાને ગુજરાત સહિત દેશની જનતાએ આવકાર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.