Western Times News

Gujarati News

માયાવતીએ હાથરસ ગેંગરેપ કાંડની સુપ્રીમ કોર્ટથી કાર્યવાહીની માંગ કરી

લખનૌ, બસપા પ્રમુખ માયાવતીહાથરસ ગેંગરેપ કેસ પર સુપ્રીમ કોર્ટે જાતે ધ્યાનમાં લઇ કાર્યવાહી કરવાની માંગ કરી છે માયાવતીએ કહ્યું કે આ મામલામાં યુપી સરકાર અને પોલીસનું વલણ જાેઇ સ્પષ્ટ થાય છે કે પીડિતાને ન્યાય મળશે નહીં અને ન તો દોષીતોને સજા મળી શકશે.

માયાવતીએ ટ્‌વીટ કર્યું કે યુપી પોલીસ દ્વારા હાથરસની ગેગરેંપ પીડિતાના શબને તેના પરિવારને સોંપવાની જગ્યાએ તેમની મરજી વિના તેમની ગેરહાજરીમાં ગઇકાલે અડધી રાતે અંતિમ સંસ્કાર કરી દેવામાં આવતા લોકોમાં ખુબ શંકા અને આક્રોશ ઉભો થયો છે.બસપા પોલીસના આવા ખોટા વલણની કડક શબ્દોમાં ટીકા કરે છે.

જાે માનનીય સુપ્રીમ કોર્ટ આ સંગીન પ્રકરણને જાતે જ ધ્યાનમાં લઇ યોગ્ય કાર્યવાહી કરે તે સારૂ રહેશે નહીંતર આ જધન્ય મામલામાં યુપી સરકાર અને પોલીસના વલણથી કયારેય લાગ્યું નથી કે ગેંગરેપ પીડિતાના મોત બાદ પણ તેના પરિવારને ન્યાય અને દોષિતોને કડક સજા મળી શકશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.